Connect Gujarat
ગુજરાત

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટી ખાતે ભાજપના ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન

આ બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ સમાજના લોકોના ઉત્થાન માટે વધુ ક્યા પ્રયાસો કરી શકાય

X

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1માં ભાજપ ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનુ આયોજન કરાયું છે.રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ.સંતોષ આ કારોબારીમાં મુખ્ય અધ્યક્ષ તરીકે આવવાના છે જેવો આજે સાંજે કેવડિયા ખાતે 9 કલાકે આવશે અને આ બાબતે ભાજપના એસટી મોરચાની બે દિવસીય બેઠક યોજાશે. સાથે એસટી મોરચાના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે.આ બાબતે ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ જણાવ્યું હતું.

આ બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ સમાજના લોકોના ઉત્થાન માટે વધુ ક્યા પ્રયાસો કરી શકાય એ છે.આ બેઠકમાં દેશની અને ભાજપ શાસિત રાજ્યની સરકાર અને ભાજપ સંગઠન દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે અને આદિવાસી સમાજને અન્ય સમાજની હરોળમાં લાવવા ક્યાં ક્યા કાર્યો કર્યા, અને સમાજને આગળ લાવવા શું કરવું જોઈએ, સમાજ આર્થિક રીતે સમૃદ્ધ થાય, અન્ય સમાજથી પાછળ ન રહે એનું આયોજન નક્કી થશે..

Next Story