Connect Gujarat
ગુજરાત

નર્મદા : મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે પોતાના સ્વપ્નને સાકાર કરતી રાજપીપળાની શીતલ...

રાજપીપળાની યુવતીએ કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે તે પોતાના સ્વપ્નને સાકાર કરી રહી છે.

નર્મદા : મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે પોતાના સ્વપ્નને સાકાર કરતી રાજપીપળાની શીતલ...
X

નર્મદા જિલ્લાના રાજપીપળાની યુવતીએ કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે તે પોતાના સ્વપ્નને સાકાર કરી રહી છે.

કોરોનાએ દુનિયા બદલી નાખી, ત્યારે આ મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજન પણ ગુમાવ્યા છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ અનેક લોકો માટે સ્વજનની ભૂમિકા ભજવી છે. નર્મદા જિલ્લાના રાજપીપળાના લાભાર્થી શીતલ નર્સિંગ કોલેજમાં બી.એસ.સીનો અભ્યાસ કરે છે. કોરોના કાળમાં તેણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ છત્રછાયા ગુમાવ્યા બાદ તેને હતું કે, નબળી આર્થિક સ્થિતિને પગલે તે વધુ અભ્યાસ નહીં કરી શકે. પણ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે તે પોતાના સ્વપ્નને સાકાર કરી રહી છે.

કોવીડમાં માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવી રહી છે, જેથી તે બાળકો તેમનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે. તેવામાં રાજપીપળાની લાભાર્થી બેન શીતલ જેમ આજે રાજ્યમાં અનેક લાભાર્થીઓ સરકારના સાથથી એક બહેતર જીવન જીવી રહ્યા છે. આ કિસ્સો દર્શાવે છે કે, લોકશાહીમાં પણ સરકાર કેવી રીતે નાગરિકની સાચા અર્થમાં સાથી બની રહે છે.

Next Story