નર્મદા : નાંદોદના પ્રતાપનગરથી ડ્રોન ટેકનોલોજી દ્વારા દવા છંટકાવની યોજનાનો પ્રારંભ, ખેડૂતોને મળશે સબસિડી

નર્મદા જિલ્લામાં પ્રથમ વખત નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં ગુજરાત સરકારની ખેડૂતલક્ષી અધ્યતન ડ્રોન ટેકનોલોજથી ખાતરનો શેરડીના પાકમાં છંટકાવ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.

New Update
નર્મદા : નાંદોદના પ્રતાપનગરથી ડ્રોન ટેકનોલોજી દ્વારા દવા છંટકાવની યોજનાનો પ્રારંભ, ખેડૂતોને મળશે સબસિડી

નર્મદા જિલ્લામાં પ્રથમ વખત નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં ગુજરાત સરકારની ખેડૂતલક્ષી અધ્યતન ડ્રોન ટેકનોલોજથી ખાતરનો શેરડીના પાકમાં છંટકાવ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારની ખેડૂતલક્ષી અધ્યતન ડ્રોન ટેકનોલોજી સંચાલિત નર્મદા જિલ્લામાં પ્રથમ વખત નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં યુરિયા ખાતરનો શેરડીના પાકમાં છંટકાવ કરવામાં આવ્યો હતો. ખેડૂતો નેનો યુરિયા, પાક સરંક્ષકો તથા અન્ય FCO માન્ય પ્રવાહી ખાતર, જૈવિક ખાતરોના ખેતરમાં ઓછા સમયમાં પાકની અલગ-અલગ અવસ્થામાં છંટકાવ કરી શકે તે માટે સરકાર દ્વારા આ યોજના લાગુ કરવામાં આવી છે. જેમાં પ્રારંભિક તબક્કામાં આ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી 600 રૂપિયા પ્રતિ એકરનો ખર્ચ થાય છે, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ એકર દીઠ 90 ટકા એટલે કે રૂપિયા 500 ની સબસિડી પણ આપવામાં આવશે.

આ ટેકનોલોજીથી ખેડૂતોનો સમય, ઉર્જા અને કૃષિ ખર્ચમાં બચત થશે. સાથોસાથ કૃષિમાં સમૃદ્ધિ માટે યાંત્રિકીકરણને પણ પ્રોત્સાહન મળી રહેશે. ડ્રોન ટેક્નોલોજીના પ્રારંભે નાંદોદ તાલુકાના પ્રતાપનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ, ગામના તેમજ આસપાસના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.
Latest Stories