નર્મદા : SOU આવતા પ્રવાસીઓના અનુભવોને વધુ યાદગાર બનાવવા SRP પોલીસ બેન્ડ રેલાવશે શૌર્યની ધૂન...

એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની મુલાકાત લેતા પ્રવાસીઓની યાત્રાને વધુ રસપ્રદ બનાવવા માટે SOU સત્તામંડળે હવે વધુ એક નવું આકર્ષણ ઉમેર્યું છે.

New Update
નર્મદા : SOU આવતા પ્રવાસીઓના અનુભવોને વધુ યાદગાર બનાવવા SRP પોલીસ બેન્ડ રેલાવશે શૌર્યની ધૂન...

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાતે આવતા પ્રવાસીઓના અનુભવોને વધુ યાદગાર બનાવવા માટે વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા SRP પોલીસ બેન્ડ થકી વધુ એક નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે.

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની મુલાકાત લેતા પ્રવાસીઓની યાત્રાને વધુ રસપ્રદ બનાવવા માટે SOU સત્તામંડળે હવે વધુ એક નવું આકર્ષણ ઉમેર્યું છે. જે અંતર્ગત હવે પ્રવાસીઓને સપ્તાહના અંતે એટલે કે, શનિવાર અને રવિવારના રોજ SRP પોલીસ બેન્ડના સંગીતમય પ્રદર્શનનો આનંદ માણવાની એક સુખદ તક મળશે. આ અંગે SOU ADTGAના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે જાણીતુ બન્યુ છે, ત્યારે “દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આવે છે, ત્યારે પોલીસ બેન્ડ દેશભક્તિ અને શૌર્યની ધૂનથી પ્રવાસીઓના અનુભવોને વધુ યાદગાર બનાવશે. જોકે, ગત શનીવારથી શરૂ થયેલા પોલીસ બેન્ડે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત તમામ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પોલીસ બેન્ડના આ શાનદાર લાઈવ પરફોર્મન્સને જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી હતી. નોંધનીય છે કે, પોલીસ બેન્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં દર શનિવાર અને રવિવારે સાંજે 6થી 7 કલાક સુધી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે. જેથી પ્રવાસીઓ પોલીસ બેન્ડના લાઈવ સંગીતમય પ્રદર્શનનો આનંદ માણી શકશે.

Read the Next Article

જૂનાગઢ : ખેડૂતોને અપાતા મગફળીના બિયારણના કૌભાંડથી ખળભળાટ,બારોબાર બિયારણ વેચી દેવાયું હોવાનો આક્ષેપ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે.

New Update

ભેસાણમાં મગફળીના બિયારણ કૌભાંડનો મામલો

સરકારી બિયારણ બારોબાર વેચી મારવાનો આક્ષેપ

જાગૃત નાગરિક અને એડવોકેટે કૌભાંડ અંગે કર્યો આક્ષેપ

500 બોરી બીજ વેચવામાં આવ્યા હોવાની કરી ફરિયાદ

મંડળી અને ગોડાઉન સંચાલકોએ આક્ષેપોને નકારી કાઢ્યા 

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે.જેના કારણે ખેડૂત આલમમાં ખળભળાટ મચી ગયો છે.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ખાતે ખેડૂતોને આપવાનું બિયારણ બારોબાર વેચી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ગામના જ રહેવાસી અને વ્યવસાયે ખેડૂત તેમજ એડવોકેટ સંજય કાપડિયા નામના ખેડૂતે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તડકા પીપળીયા ગામમાં બિયારણ આપતી પેઢી શત્રભુજ સેવા સહકારી મંડળી દ્વારા 500 બોરી બીજ  ગોંડલ  માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખવા માટે એક ગોડાઉનમાં માલ રાખ્યો હતો,જે અંગે તપાસ કરવામાં આવતા થોડો બિયારણનો જથ્થો ગોંડલ વેચી નાખ્યો હોવાનું માલુમ પડ્યું હતું,જ્યારે હજુ કેટલોક બિયારણનો જથ્થો ગોડાઉનમાં પડ્યો હોવાનું પણ ખેડૂત જણાવી રહ્યા છે.

બીજી તરફ ખેડૂતો અને ગોડાઉન માલિક કે જેને ત્યાં બિયારણની બોરીઓ પડેલી છે,તેઓનું કહેવું છે કે આ જાણીતા ખેડૂતોએ સાચવવા મુકેલી છે તેમજ શત્રભુજ પેઢીના ચેરમેન વસંત પટોળિયાએ આ કૌભાંડ અંગે જણાવ્યું કે  નિયમ અનુસાર 1650 ખેડૂતોને બિયારણ વિતરણ કરવામાં આવ્યું છે. જેના આધારકાર્ડ અને બીજ વિતરણ ફોટાઓના પુરાવા પણ હોવાનું જણાવીને તેઓએ આક્ષેપને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા.

મગફળીના બિયારણ બારોબાર વેચી મારવાના કૌભાંડના આક્ષેપ સામે ગોડાઉન માલિક અને ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી,અને આ પ્રકારની કોઈ જ ગેરરીતિ આચરવામાં આવી ન હોવાનું તેઓએ જણાવી રહ્યા છે,અને તમામ આક્ષેપ ખોટા હોવાનું તેઓએ કહી રહ્યા છે.

Latest Stories