Connect Gujarat
ગુજરાત

નર્મદા: આદિવાસીઓના પરંપરાગત ઘેર નૃત્યએ જમાવ્યું આકર્ષણ,યુવાનોએ સ્ત્રી વેશ ધારણ કર્યો

ધૂળેટીના પર્વ પર નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઘેર નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

X

ધૂળેટીના પર્વ પર નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઘેર નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આદિવાસી યુવાનોએ પરંપરાગત વસ્ત્રોમાં ઘેર નૃત્ય કરતાં લોકોના ટોળા જામ્યા હતા.

નર્મદા જીલ્લામાં મોટા ભાગે આદિવાસી વસ્તી છે અને ગઈ કાલેજ આદિવાસીઓના સૌથી મોટા ઉત્સવ સમાન હોળી દહનના કાર્યક્રમ બાદ આજથી પાંચ દિવસ સુધી આદિવાસી સમાજ ધૂળેટી પર્વ મનાવશે અને આ ધૂળેટીનો તહેવાર મનાવવા આદિવાસીઓ પરંપરાગત આદિવાસી વસ્ત્રો ધારણ કરી ઘેરૈયાનું રૂપ ધારણ કરી આદિવાસી નૃત્યમાં મસ્ત બનીને ફરે છે અને ધૈર ઉઘરાવી સંતોષ માને છે એક પરંપરા મુજબ હોળી દહન પછીના પાંચ દિવસ સુધી માનતા કે બાધા રાખેલ આદિવાસી યુવાન ઘેરૈયાનું રૂપ ધારણ કરી ફરે છે અને ઘરમાં જતા નથી જયારે કેટલાક યુવાનો સ્ત્રીવેશ ધારણ કરીને પણ ફરે છે અને આદિવાસી પરંપરાગત નૃત્ય કરી આ ઉત્સવ ને ઉજવે છે આજે આ પરંપરા લુપ્ત થઇ રહી છે પરંતુ રાજપીપળા ના બજારોમાં આજે આ ધૈર નૃત્ય જોઈ લોક ટોળા પણ જામ્યા હતા

Next Story