નવસારી : ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા

નવસારી જીલ્લામાં ગત ચોમાસુ મન મુકીને વરસ્યું હતું, જેના ફળ સ્વરૂપે નદી-નાળા અને ડેમો છલકાતા સમગ્ર વર્ષ દરમ્યાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતો

author-image
By Connect Gujarat
New Update

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ડેમમાંથી તંત્રએ 40 દરવાજા પૈકી 20 દરવાજા ખોલી પાણી છોડતા અંબિકા નદી કાંઠે આવેલા 19 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.

નવસારી જીલ્લામાં ગત ચોમાસુ મન મુકીને વરસ્યું હતુંજેના ફળ સ્વરૂપે નદી-નાળા અને ડેમો છલકાતા સમગ્ર વર્ષ દરમ્યાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતોજે હજી ચાલી રહ્યો છેત્યારે હવે આ વર્ષે પણ નવા નીર આવવાની શરૂઆત થતા સંગ્રહ કરેલ જૂનું પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. ખેતી માટે ઉત્તમ ગણાતા નવસારીમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી ન આવે તે માટે કેલીયાજૂજ અને દેવધા ડેમ બનાવવામાં આવ્યા છે.

જેમાં પાણી હજીપણ ઘણું ચાલી શકે તેમ છેપણ વરસાદના નવા પાણીની આવક વધે તે પેહલા જૂના પાણીના નિકાલની વ્યવસ્થાઓના ભાગરૂપે ગણદેવીના દેવધા ડેમના દરવાજાઓ ખોલી દેવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના કાંઠે આવેલા 19 જેટલા ગામોને વહીવટી તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નવસારી જિલ્લાની 2 નગરપાલિકાઓને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે. ચોમાસામાં ઉપરવાસથી આવતા પાણીના કારણે દેવધા ડેમ પર હાલ પાણીની આવક એકાએક વધી ન જાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ કાળજી લઈને બેઠું છે.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.