નવસારી : ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા

નવસારી જીલ્લામાં ગત ચોમાસુ મન મુકીને વરસ્યું હતું, જેના ફળ સ્વરૂપે નદી-નાળા અને ડેમો છલકાતા સમગ્ર વર્ષ દરમ્યાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતો

author-image
By Connect Gujarat Desk
New Update

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ડેમમાંથી તંત્રએ 40 દરવાજા પૈકી 20 દરવાજા ખોલી પાણી છોડતા અંબિકા નદી કાંઠે આવેલા 19 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.

નવસારી જીલ્લામાં ગત ચોમાસુ મન મુકીને વરસ્યું હતુંજેના ફળ સ્વરૂપે નદી-નાળા અને ડેમો છલકાતા સમગ્ર વર્ષ દરમ્યાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતોજે હજી ચાલી રહ્યો છેત્યારે હવે આ વર્ષે પણ નવા નીર આવવાની શરૂઆત થતા સંગ્રહ કરેલ જૂનું પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. ખેતી માટે ઉત્તમ ગણાતા નવસારીમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી ન આવે તે માટે કેલીયાજૂજ અને દેવધા ડેમ બનાવવામાં આવ્યા છે.

જેમાં પાણી હજીપણ ઘણું ચાલી શકે તેમ છેપણ વરસાદના નવા પાણીની આવક વધે તે પેહલા જૂના પાણીના નિકાલની વ્યવસ્થાઓના ભાગરૂપે ગણદેવીના દેવધા ડેમના દરવાજાઓ ખોલી દેવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના કાંઠે આવેલા 19 જેટલા ગામોને વહીવટી તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નવસારી જિલ્લાની 2 નગરપાલિકાઓને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે. ચોમાસામાં ઉપરવાસથી આવતા પાણીના કારણે દેવધા ડેમ પર હાલ પાણીની આવક એકાએક વધી ન જાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ કાળજી લઈને બેઠું છે.

Latest Stories