નવસારી : ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા

નવસારી જીલ્લામાં ગત ચોમાસુ મન મુકીને વરસ્યું હતું, જેના ફળ સ્વરૂપે નદી-નાળા અને ડેમો છલકાતા સમગ્ર વર્ષ દરમ્યાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતો

author-image
By Connect Gujarat
New Update

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ડેમમાંથી તંત્રએ 40 દરવાજા પૈકી 20 દરવાજા ખોલી પાણી છોડતા અંબિકા નદી કાંઠે આવેલા 19 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.

નવસારી જીલ્લામાં ગત ચોમાસુ મન મુકીને વરસ્યું હતુંજેના ફળ સ્વરૂપે નદી-નાળા અને ડેમો છલકાતા સમગ્ર વર્ષ દરમ્યાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતોજે હજી ચાલી રહ્યો છેત્યારે હવે આ વર્ષે પણ નવા નીર આવવાની શરૂઆત થતા સંગ્રહ કરેલ જૂનું પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. ખેતી માટે ઉત્તમ ગણાતા નવસારીમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી ન આવે તે માટે કેલીયાજૂજ અને દેવધા ડેમ બનાવવામાં આવ્યા છે.

જેમાં પાણી હજીપણ ઘણું ચાલી શકે તેમ છેપણ વરસાદના નવા પાણીની આવક વધે તે પેહલા જૂના પાણીના નિકાલની વ્યવસ્થાઓના ભાગરૂપે ગણદેવીના દેવધા ડેમના દરવાજાઓ ખોલી દેવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના કાંઠે આવેલા 19 જેટલા ગામોને વહીવટી તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નવસારી જિલ્લાની 2 નગરપાલિકાઓને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે. ચોમાસામાં ઉપરવાસથી આવતા પાણીના કારણે દેવધા ડેમ પર હાલ પાણીની આવક એકાએક વધી ન જાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ કાળજી લઈને બેઠું છે.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.