/connect-gujarat/media/post_banners/678c84cab98a0d6fbe9101229109c8a0287c42c42a9b17182f48967cbf27b435.jpg)
આધુનિક સમયમાં બાળકોને તરછોડવાનો સિલસિલો યથાવત
ગણદેવીમાં નવજાત બાળકને નિષ્ઠુર જનેતાએ તરછોડી મુક્યું
રખડતા શ્વાનોને ફાડી ખાતા નવજાત બાળકનું મોત નીપજ્યું
બાપા સીતારામ મઢુલી નજીકથી મળ્યો નવજાતનો મૃતદેહ
સમગ્ર મામલે ગણદેવી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી માતૃત્વને લાજવતી ઘટના સામે આવી છે. જેમાં નિષ્ઠુર જનેતાએ જુના સિનેમા રોડ પાસેના બાપા સીતારામ મઢુલીની પાછળના ભાગે પોતાની નવજાત દીકરીને મરવા માટે તરછોડી દીધી હતી. તેવામાં ભૂખ્યા સંભવિત શ્વાનના ટોળાએ બાળકીને ફાડી ખાતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. કેટલાક સ્થાનિકોએ બાળકીના મૃતદેહને જોતા તાત્કાલિક ગણદેવી પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા જ તાત્કાલિક બાળકીના મૃતદેહને ગણદેવી રેફરલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યું હતું, ત્યારે હાલ તો ગણદેવી પોલીસે બાળકીને તરછોડનાર વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.