નવસારી : બીલીમોરામાં આખલાઓનું ટોળું બાખડ્યું હોવાના CCTV સામે આવ્યા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. બીલીમોરા સ્ટેશન રોડ વિસ્તારમાં આખલા બાખડતા CCTV કેમેરામાં કેદ થયા હતા.

New Update

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આખલાઓનો આતંક યથાવત રહ્યો હોવાના CCTV ફૂટેજ સામે આવતા પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. બીલીમોરા સ્ટેશન રોડ વિસ્તારમાં આખલા બાખડતા CCTV કેમેરામાં કેદ થયા હતા. આખલાઓનું ટોળું બાખડતાં એક બાઈક ચાલક માંડ માંડ બચ્યો હતો. તો બીજી તરફરોડની સઇદમાં રહેલા અન્ય વાહનોને પણ નુકશાન થયું હતું.

અગાઉ પણ બીલીમોરા શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતો થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતોત્યારે નગરપાલિકા દ્વારા રખડતા ઢોર બાબતે નક્કર કમગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેનગરપાલિકા દર વર્ષે ઢોર પકડવા માટે અલાયદૂ બજેટ ફાળવવામાં આવે છેતેમ છતાં રખડતા ઢોરનો આતંક યથાવત રહેતા પાલિકા પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Read the Next Article

વલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.

New Update
  • કપરાડામાં અગ્નિસંસ્કાર માટેની મુશ્કેલી

  • વરસતા વરસાદમાં મૃતદેહને અગ્નિદાહ

  • તાડપત્રી બાંધીને અગ્નિદાહ આપ્યો

  • નનામી સાથે બે કિ.મી કાચા રસ્તા પર ચાલ્યા લોકો

  • સ્મશાન માટે પાકું મકાન ન હોવાથી મુશ્કેલી 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસતા વરસાદમાં મૃતકના અગ્નિસંસ્કાર કરવાની વિટંબણા સર્જાય છે,કાચા રસ્તા પર જીવના જોખમે નનામી લઈને જતા લોકોએ તાડપત્રીના સહારે પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. સુવિધાઓથી વંચિત બારપુડાના મૃતકની અંતિમયાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી.પરંતુ નનામી સાથે સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો ન હોવાને કારણે લોકોએ જોખમ ખેડીને બે કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું.ઉપરાંત અંતિમવિધિ માટે લાકડા અને ટાયર હાથમાં લઈને લોકો બે કિલોમીટર સુધી ચાલતા જઈને સ્મશાન સુધી પહોંચ્યા હતા. 

ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી મૃતકનાં અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે કરવામાં આવે છે.ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ તાડપત્રી મૃતકની ચિત્તા પર બાંધી ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.વરસતા વરસાદની વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.અને લોકોએ સ્મશાનના ડેવલપમેન્ટ માટેની માંગ કરી હતી.