Connect Gujarat
ગુજરાત

નવસારી: ચાર પુલ વિસ્તારમાં એક બિલ્ડીંગનો ચોથો માળ ધરાશયી,કોઈ જાનહાની નહીં

નવસારી શહેરમાં આવેલા ચાર પુલ વિસ્તારમાં એક બિલ્ડીંગનો ચોથો માળ ધરાશાઈ થઈ જતા દોડધામ મચી જવા પામી હતી.

X

નવસારી શહેરમાં આજરોજ મોટી દુર્ઘટના સર્જાય હતી.ચારપુલ વિસ્તારના તાપરવાડ મહોલ્લામાં આવેલ એક બિલ્ડીંગનો ચોથો માળ ધરાશયી થયો હતો.ચારપુલ વિસ્તારમાં આવેલ રહેમત મંઝિલ નામની જર્જરીત ઇમારતમાં ઘટના બની હતી.

સદ્નસીબે બિલ્ડીંગનાં નીચે કોઈ ન હતું જેથી મોટી હોનારત ટળી હતી. ઘટનાની જાણ નગરપાલિકાની ટીમને થતા પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

Next Story