નવસારી : 'ઝીરો કેઝ્યુલિટી'ના એપ્રોચ સાથે પ્રશાસને અંદાજિત 2,200 લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કર્યા...

નવસારી જિલ્લામાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની 5 ફુટ ઉપરથી વહેતા અંદાજિત 2,200 લોકોને આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

New Update

નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની 5 ફુટ ઉપર વહેતા જિલ્લા પ્રશાસને અંદાજિત 2,200 લોકોને સુરક્ષિત રીતે આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરી'ઝીરો કેઝ્યુલિટી'ના એપ્રોચ સાથે કામગીરી કરી બતાવી છે.

નવસારી જિલ્લામાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની 5 ફુટ ઉપરથી વહેતા અંદાજિત 2,200 લોકોને આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારી શહેરી વિસ્તારમાં રેલ રાહત કોલોનીબાલાપીર દરગાહદશેરા ટેકરીરૂસ્તમવાડીવિજલપોર મારૂતિનગર જેવા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અંદાજિત 1560 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે. જેમની ફુડ પેકેટની તથા આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ કરવામાં આવેલ છે.

નવસારી તાલુકાના અડદા ખાતે કનાઈ ખાડીમાં પાણી વધતા ફસાયેલા સાત લોકોનું નવસારી ફાયર ટીમ દ્વારા સલામ રીતે રેસ્ક્યુ કરી સહિસલામત સુરક્ષિત સ્થાન ઉપર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તો બીજી તરફનવસારી ગ્રામ્ય તાલુકાના ગામડાઓમાં 664 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામા આવ્યું હતું. નવસારી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા પ્રશાસન દ્વારા 'ઝીરો કેઝ્યુલિટી'ના એપ્રોચ સાથે કામગીરી કરવામાં આવી રહી હોવાની તમામ માહિતી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ આપી હતી.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.