Connect Gujarat
ગુજરાત

હવે પરસોત્તમ રૂપાલાનું શું થશે? ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ, સમાજ ઉમેદવાર બદલવાની માંગ પર અડગ

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે.

હવે પરસોત્તમ રૂપાલાનું શું થશે? ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ, સમાજ ઉમેદવાર બદલવાની માંગ પર અડગ
X

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. આ અંગે ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ હતી. આજે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી. જોકે, એ પહેલાં રાજપૂત સમાજની કોર કમિટીની એસજી હાઇવે ઉપર એક હોટલમાં બેઠક મળી હતી. રાજકોટથી પદ્મિનીબા વાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે ચાર મહિલા સભ્યો પણ અમદાવાદ આવ્યા હતા. આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની જ માંગ કરી હતી.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બાદ જણાવ્યું હતું કે, આજે અમે કોર કમિટી સાથે બેઠક કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. કોર કમિટી સાથે વાત કરી છે. રૂપાલાએ 30 મિનિટમાં માફી માગી હતી. ગોંડલ ખાતે માફી માગી હતી, પ્રદેશ પ્રમુખે પણ માફી માગી છે. અમે બાબતો કોર કમિટી સમક્ષ રજૂ કરી છે. બધાએ રજૂઆત કરી છે. બધાની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે તેમ કહ્યું છે. આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા છે. તે અમને મંજૂર નથી એમ કોર કમિટીએ કહ્યું છે, અમે પક્ષમાં રજૂઆત કરીશું. હવે પાર્ટી નિર્ણય લેશે.

Next Story