ગુજરાતની હોસ્પિટલની ઉઘાડી લૂંટ! 9 ટાંકાનું બિલ 1.61 લાખ,ડોક્ટરની ફી રૂ.61 હજારથી પણ વધુ

મેડિક્લેઈમ હેઠળ સારવાર આપીને 24 કલાક બાદ બાળકને રજા અપાઈ હતી. જેમાં હાથમાં 7 ટાંકાનું 1 લાખ 60 હજાર રૂપિયા બિલ રાજ્કોટનો વોંકહાર્ટ હોસ્પિટલે પકડાવ્યું

New Update
Walk Heart Hospital

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે. હેનિલ પટેલ નામના9વર્ષના બાળકને હાથમાં ટાંકા લઈ માત્ર24કલાક એડમિટ રાખી તોતિંગ બિલ પરિવારને પકડાવ્યું છે. મેડિક્લેઈમ હેઠળ સારવાર આપીને24કલાક બાદ બાળકને રજા અપાઈ હતી. જેમાં હાથમાં7ટાંકાનું1લાખ60હજાર રૂપિયા બિલ હોસ્પિટલે પકડાવ્યું છે.

એટલું જ નહિબાળક સાંજના સમયે એડમિટ થયું છતાં પણ સવારના સમયના ડોક્ટરની વિઝીટના ચાર્જીસ લગાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દર્દીના સગા પાસે ડિપોઝીટ પેટે રૂપિયા10હજાર રોકડા પણ ભરાવ્યાં હતા. ત્યારે બાળકના દાદા જગદીશભાઈ પટેલ વોકહાર્ટ હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરશે કે નહી એતો આવનાર સમય જે બતાવશે.હાલમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

ક્યા ડોકટરનો કેટલો ચાર્જ લગાવ્યો ?

ડોક્ટર હાર્દિક ધમાણિયાની ફી 61,120

સર્જરી ચાર્જ 21,400

ડો.ભાવિક ભુવા ચાર્જ 11,000

એસો.કો.સર્જન ચાર્જ 15,000

ઇમરજન્સી સર્જરી ચાર્જ 3,210

ઇમરજન્સી સર્જન ચાર્જ 9168

ઇમરજન્સી એનેસ્થેસીયા ફી 1650

ઇમરજન્સી એસો.સર્જન ચાર્જ 2250

ફાર્મસી ચાર્જ રૂપિયા 3044

કુલ બિલ રૂપિયા 1,60,910

4માર્ચના રોજ હેનિલ પટેલ નામનો સગીર તેની માતા સાથે એક્ટીવા પર જતો હતો,ત્યારે એક્ટિવા પરથી નીચે પડી ગયો હતો.હેનિલના જમણા હાથમાં ઈજા પહોંચી હતી. જેથી તેને સાંજે7.35કલાકે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. - મેડિકલેમના નિયમ પ્રમાણેદર્દીને24કલાક દાખલ રહેવું પડે. જેથી5માર્ચે રાત્રે10.40વાગ્યે બાળકને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

રંતુ આ24કલાકના હોસ્પિટલને પટેલ પરિવારને1લાખ61હજારનું બિલ પકડાવ્યું છે. ત્યારે સમગ્ર મામલે બાળકના દાદા જગદીશભાઈ પટેલે હોસ્પિટલે ચલાવેલી ઉઘાડી લૂંટનો વિરોધ કર્યો છે.

તો સમગ્ર મામલે વિવાદ થતા વોક હાર્ટ હોસ્પિટલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. હોસ્પિટલના સેન્ટર હેડ દુષ્યંત પટેલે કહ્યું કેદર્દીને વોક હાર્ટ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવા લઈ આવ્યા હતા. મોટો ચેંકો હતો અને ડસ્ટ પણ હોવાને કારણે ઇમરજન્સી સર્જરી કરવી પડી હતી. સારવાર આપી બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી. રજા આપ્યા બાદ ડોક્ટરોને પણ બતાવવા માટે આવ્યા હતા.

ઈન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પણ વાલીઓએ સહમતી આપી હતી. તો બીજી તરફડો.હાર્દિક ધમસાણીયાએ61હજારનો ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા. સેન્ટર હેડ દુષ્યંત પટેલ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા. સેન્ટર હેડ ભાન ભૂલ્યા અને વોક હાર્ટ હોસ્પિટલને બદલે અન્ય હોસ્પિટલ કહી વખાણ કર્યા હતા.

Read the Next Article

વલસાડ : ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ

ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

New Update
  • પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ

  • ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી

  • ડેમ બનવાથી આદિવાસી વિસ્તારો થશે ખાલી 

  • રાજ્યભરમાંથી આદિવાસી સમાજના યુવાનો જોડાયા

  • MLA અનંત પટેલઅમિત ચાવડા પણ રેલીમાં જોડાયા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી.આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલકોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પારતાપી અને નર્મદાએ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે.જ્યારે ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ જશે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ચિકાર ડેમ બનવાનો છેજેમાં 12 ગામ જશે. વઘઇ તાલુકાના ડાબદર ડેમમાં 18 ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં 23 ગામ જશે. એટલે આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.

DPR મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.

2022માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કેપાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે. ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો. પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેકટનોDPR રજૂ થયો છેએટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.