Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરનારા યુવકની આધેડે ઘરે બોલાવી કુહાડીના ઘા મારી કરી હત્યા

હાલોલના રવાલિયા ગામેથી ગૂમ થયેલા યુવાનનો મૃતદેહ એક અઠવાડિયા પછી મળી આવ્યો હતો. યુવાનની કુહાડી મારી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે

X

પંચમહાલના હાલોલના રવાલિયા ગામેથી ગૂમ થયેલા યુવાનનો મૃતદેહ એક અઠવાડિયા પછી મળી આવ્યો હતો. યુવાનની કુહાડી મારી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરનારા યુવકની આધેડે હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે

પંચમહાલના હાલોલ તાલુકાના રવાલિયા ગામે રહેતો યુવક સુમન ચંદ્રસિંહ પરમાર પાછલા એક અઠવાડિયાથી ગુમ હતો. ઘરે પરત નહીં આવતા તેના પરિવારજનોએ તે ગૂમ થયા અંગે હાલોલ રૂરલ પોલીસ મથકમાં જાણવા જોગ અરજી આપી હતી. આ અરજી સંદર્ભે ટાઉન પીઆઇ જાડેજાએ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન થોડા દિવસ બાદ યુવકની મોટરસાયકલ નર્મદા નહેર પાસે મળી આવતા પોલીસે આત્મહત્યા અને હત્યા બંને એંગલ સાથે તપાસ ચાલુ રાખતા નર્મદા નહેરમાંથી ક્યાંય તેનો મૃતદેહ મળ્યો ન હતો. જેથી પોલીસે હત્યાના એંગલ ઉપર ધ્યાન આપી કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરી હતી.હાલોલ ટાઉન પોલીસે યુવકની વિગતો મેળવતા તેને રવાલિયા ગામના નજીકના ફળિયા નવાઢમાં રહેતા રણછોડ રાઠવા હત્યારા આધેડ સાથે કોઈ સાંઠગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. હત્યારા આધેડની પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસે હત્યારા આધેડના ખેતરમાં આવેલ ઝુંપડીમાં તપાસ કરતા ત્યાં લોહીના ડાઘા જણાઈ આવતા યુવકના ગુમ થવામાં હત્યારા આધેડનો હાથ હોવાની શંકા પાકી થતા તેની કડકાઈથી પૂછતાછ કરતા તેને કબૂલાત કરી હતી તેને કહ્યું કે તેણે યુવકની હત્યા કરી છે, તેના મૃતદેહને નજીકના ખેતરમાં દાટી દીધો છે. યુવકના ગુમ થયા બાદ તેની તપાસમાં સતત લાગેલા હત્યારા આધેડ એ ખુદ તેની હત્યા કર્યાનું કબૂલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.આધેડે પોલીસને જણાવ્યું હતું કે સુમન ગે હત તેની પાસે આવતો હતો અને વારંવાર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવવા દબાણ કરતો હતો.સતત તેના દબાણથી થાકી ગયેલા આધેડે અઠવાડિયા પહેલા ત્યાં ખેતરની ઝૂંપડીએ આવેલા યુવકને ઊંઘમાં જ ગળાના ભાગે કુહાડી મારી પતાવી દીધો હતો.

Next Story