પંચમહાલ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ૭૪મા રાજ્ય કક્ષાના વન મહોત્સવની કરાશે ઉજવણી...

New Update
પંચમહાલ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ૭૪મા રાજ્ય કક્ષાના વન મહોત્સવની કરાશે ઉજવણી...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લા ખાતે ૭૪મા રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે મુખ્યમંત્રીના હસ્તે ૧.૧ હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું કરાશે લોકાર્પણ, ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર-પાવાગઢનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવનાર છે.

ભારત ઔષધી અને જડીબુટ્ટીઓની સમૃદ્ધિ ધરાવતો દેશ છે, જેમાં પાવાગઢ જેવી શક્તિપીઠ પર મા મહાકાળીએ અઢળક ઔષધિઓ ખજાના સ્વરૂપે આપણને ભેટ આપેલ છે, જેની માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ નોંધ લીધી અને વર્ષ ૨૦૧૧માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરી અને “વિરાસત વન” સંસ્કૃતિક વનની ભેટ આ પવિત્ર શક્તિપીઠના નાગરિકોને આપી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૪માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરાશે. પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે વન કવચનું નિર્માણ કરાયું છે. જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રીની સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તથા વન કવચ સંકુલની મુલાકાત લેશે.

આ સાથે સભા સ્થળ ખાતે આગમન થશે, જ્યાં મુખ્યમંત્રી સભાને ઉદ્દબોધન કરશે. વન મહોત્સવ ખાતે મંત્રી મુળુ બેરા,મંત્રી ડૉ. કુબેર ડિંડોર, રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત જીલ્લાના સાંસદ સભ્ય, ધારાસભ્યઓ,અધિકારીઓ/પદાધિકારીઓ જોડાશે.

આ સાથે મુખ્યમંત્રીના હસ્તે દ્વારકા ખાતે નિર્માણ પામનાર સાંસ્કૃતિક વન-હરસિધ્ધિ વનનું ઈ-ખાતમુર્હુત કરાશે, દીપડા ગણતરી પુસ્તિકાનું વિમોચન, ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર-પાવાગઢ અને ક્રાકજ એનિમલ કેર સેન્ટર-પાલીતાણાનું ઈ-લોકાર્પણ, નડાબેટ-બનાસકાંઠા ખાતે વરું સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઈ-લોકાર્પણ તથા સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને સહાય ચેક વિતરણ કરાશે.

Read the Next Article

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ

New Update
rain in mumbai

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.   

Latest Stories