પંચમહાલ: આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ, AAPના નેતા ભરત રાઠવા ભાજપમાં જોડાયા
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ સર્જાયું છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા ભરત રાઠવા ભાજપમાં જોડાયા છે
BY Connect Gujarat Desk15 Dec 2023 7:21 AM GMT
X
Connect Gujarat Desk15 Dec 2023 7:21 AM GMT
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ સર્જાયું છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા ભરત રાઠવા ભાજપમાં જોડાયા છે
આમ આદમી પાર્ટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા બાદ વધુ એક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.હાલોલ વિધાનસભાના AAP ના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે.ગત ચૂંટણીના AAPના ઉમેદવાર ભરત રાઠવાએ કેસર્યો ધારણ કર્યો છે તેઓએ AAPના બેનર પર હાલોલ વિધાનસભામાં 23000 વોટ મેળવ્યા હતા.ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો
Next Story