પંચમહાલ : તંત્રની નબળી કામગીરીના કારણે ગોધરા માર્ગ પર પડ્યા ભુવા, સ્થાનિકોમાં રોષ..!

હમીરપુર માર્ગમાં ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી, અણઘડ કામગીરીથી વારંવાર પડે છે મોટા ભુવા.

New Update
પંચમહાલ : તંત્રની નબળી કામગીરીના કારણે ગોધરા માર્ગ પર પડ્યા ભુવા, સ્થાનિકોમાં રોષ..!

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સાતપુલ જકાતનાકાથી હમીરપુર ગામ તરફ જતા માર્ગ પર ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે તંત્રની અણઘડ કામગીરીના કારણે અવારનવાર મોટા ભુવાઓ પડતા હોવાથી કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી લોકભીતિ સેવાઇ રહી છે.

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાના ઈજારદાર એજન્સી દ્વારા ભૂગર્ભ ગટર લાઈનનું કામ વ્યવસ્થિત રીતે કરવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સાતપુલ જકાત નાકાથી હમીરપુર ગામ તરફ જતા માર્ગ પર અવાર નવાર મોટા મોટા ભુવાઓ પડતા હોય છે, ત્યારે આ રસ્તો નજીકના મોહલ્લા વિસ્તારમાં આવેલ 800થી વધુ મકાનો, એક માધ્યમિક શાળા અને 10 જેટલા ગામડાઓને જોડતા એક માત્ર માર્ગ ઉપર ભૂગર્ભ ગટર યોજનાના ઈજારદાર એજન્સી અને નગરપાલિકા તંત્રની નબળી કામગીરીના કારણે ભુવાઓ પડતા રાહદારી સહિત રહીશોમાં ભયની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા માર્ગ પર પડતા મોટા ભુવાઓનું કાયમી ધોરણે નિવારણ લાવવા લોકમાંગ ઉઠવા પામી છે.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
Latest Stories