પંચમહાલ: સામલી બેટીયા ગામ પાસેના જંગલ વિસ્તારમાં મળ્યો યુવકનો મૃતદેહ, હત્યાની આશંકા

New Update
પંચમહાલ: સામલી બેટીયા ગામ પાસેના જંગલ વિસ્તારમાં મળ્યો યુવકનો મૃતદેહ, હત્યાની આશંકા

ગોધરા તાલુકાના બેટીયા પાસે યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

ગોધરા તાલુકાના સામલી બેટીયા ગામ પાસેના જંગલ વિસ્તારમાંથી હત્યા કરાયેલ યુવકનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ગોધરા શહેરના ઝાકીરહુસેન સ્કૂલની સામે, હયાતની વાડી વિસ્તારના રહેવાસી મોહંમદ હનીફ દસ્તગીર બદામ નામના યુવકની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતકના શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા છે. આ યુવક ગુમ થયો હતો. મોડી રાત્રી સુધી પરત ન આવતા આ યુવક ગુમ થયો હોવાને લઈને તેની શોધખોળ આદરી હતી અને તેની ભાળ મેળવવા માટે પરીવાર જનોએ આજુબાજુ તેમજ તેના મિત્રો અને સોશિયલ મીડિયાની પણ મદદ લીધી હતી. પરંતુ તેની ક્યાંય ભાળ ન મળતા પરિજનોએ ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી પણ આપવામાં આવેલ હતી. આ અરજીને આધારે તપાસ કરતા યુવકની મોટર સાયકલ દરૂનીયા રોડ ઉપરથી બિનવારસી હાલતમાં મળી આવતા કબ્જે લઈને ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવામાં આવી હતી અને આગળ વધુ તપાસમાં પોલીસને બેટીયા ગામના જંગલ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ અને નાયબ પોલીસ અધિક્ષક સી.સી. ખટાના સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવકની હત્યા કોણે કરી અને કેમ કરી તે કારણ હજુ પણ અકબંધ છે.

Read the Next Article

તમે જોજો દિલ્હીવાળાની ડિપોઝિટ ડુલ થશે..! : જુનાગઢમાં સી.આર.પાટીલના કેજરીવાલ પર પ્રહાર, ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.

New Update
  • ભેંસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિ

  • સી.આર.પાટીલ અરવિંદ કેજરીવાલ ઉપર વરસ્યા

  • હારેલા CM ફોર્મ ભરાવવા આવ્યા : સી.આર.પાટીલ

  • અહીં ત્રીજી પાર્ટીને કોઇ જ સ્થાન નથી : કેન્દ્રિય મંત્રી

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપઠિત રહ્યા હતા.

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હવે અંતિમ પડાવમાં પ્રવેશી રહી છેત્યારે દરેક પક્ષોએ પ્રચારની પાંખો વિસ્તારી છે. વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલએ આમ આદમી પાર્ટી અને ખાસ કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કેજેના લીધે દિલ્હીમાં આખી સરકાર પડી એ હારેલા CM ઇટાલિયાનું ફોર્મ ભરાવવા આવ્યા હતાઅને અહીં આવીને ચેલેન્જ કરતા હતા.

ભેંસાણની ધરતીમાં પરબનું પીર છેસાધુ-સંતોની ભૂમિ છેસાવજની ભૂમિ છે અને જ્યાં આટલા સાવજ હોય ત્યાં ભાજપની જીત નિશ્વિત જ હોય છે. આ કાર્યકર્તા સંમેલનમાં ગુજરાતભરના દિગ્ગજ નેતાઓધારાસભ્યોસાંસદોહોદ્દેદારોએ હાજરી આપી હતી. જુનાગઢ મહાનગરપાલિકાના મેયર અને ચૂંટાયેલા કોર્પોરેટરોની ટીમ પણ સંમેલનમાં જોડાય હતી.

Latest Stories