પંચમહાલ : યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર સાફ-સફાઈ કરી પોલીસ વિભાગે સ્વચ્છતાનો સંદેશો આપ્યો...
ક્લીન એન્ડ ગ્રીન ભારત કેમ્પેઈન અંતર્ગત રાજ્યભરના યાત્રાધામોને સ્વચ્છ કરવા અભિયાન હાથ ધરાયુ છે,
BY Connect Gujarat Desk8 Dec 2023 8:19 AM GMT
X
Connect Gujarat Desk8 Dec 2023 8:19 AM GMT
ક્લીન એન્ડ ગ્રીન ભારત કેમ્પેઈન અંતર્ગત રાજ્યભરના યાત્રાધામોને સ્વચ્છ કરવા અભિયાન હાથ ધરાયુ છે, ત્યારે પંચમહાલ જિલ્લા પોલીસે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર સાફ સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આવેલ માચીથી દુધિયા તળાવ સુધીના વિસ્તારમાં પંચમહાલ જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ ક્લીન એન્ડ ગ્રીન ભારત કેમ્પેઈન અંતર્ગત સફાઈ કામગીરીમાં જોડાયા હતા. પંચમહાલ જિલ્લા એસપી હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં વહેલી સવારે જીલ્લાના તમામ તાલુકામાં આવેલા પોલીસ મથકોનો સ્ટાફ આ અભિયાનમાં જોડાયો હતો. જેમાં ડીવાયએસપી, સીપીઆઈ, પીઆઇ, પીએસઆઇ અને એસઓજી, એલસીબી તેમજ કોન્સ્ટેબલોએ સમગ્ર વિસ્તારને સ્વચ્છ કરી અહીં આવતા લાખો યાત્રાળુઓને પાવાગઢ યાત્રાધામને ક્લીન અને ગ્રીન રાખવાનો સંદેશો આપ્યો હતો.
Next Story