પાટણ : રિસાયેલી વહુને લાડકોડથી સાસરીએ લાવતા જ તેવર બતાવ્યા, દિયર-સસરાના ભોજનમાં ઝેર પીરસ્યું..!

શંખેશ્વર પોલીસે પુત્રવધૂ જયા ગૌસ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.

New Update
પાટણ : રિસાયેલી વહુને લાડકોડથી સાસરીએ લાવતા જ તેવર બતાવ્યા, દિયર-સસરાના ભોજનમાં ઝેર પીરસ્યું..!

પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ મથકમાં ભોલાગીરી ઉર્ફે ભાવેશ ઈશ્વરગીરી ગોસ્વામીએ પોતાના જ સગાભાઈ અશોકગીરીની પત્ની જયા ગૌસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમના ભાઈ-ભાભીના લગ્ન ઘણા વર્ષો અગાઉ થયા હતા. પરંતુ બન્ને વચ્ચે મનમેળ ન હોવાથી ભાભી જયા ગૌસ્વામી છેલ્લા 12 વર્ષથી રિસાઈને તેમના પિયર ગોતરકા ખાતે રહેતી હતી. જયા ગૌસ્વામીને અશોકગીરી સાથે રહેવું ન હોવા છતાં તેઓના સગા સંબંધીઓ તેને તેડીને ઘરે લઈ આવ્યા હતા, અને સમાધાન કરાવ્યું હતું.

જેથી જયા ગૌસ્વામી હવે રહેવા માટે ધનોર પોતાની સાસરીમાં પરત આવી ગઈ હતી. હજુ પરત સાસરીમાં આવ્યા ને 4 જ દિવસ થયા હતા, ત્યાં જયા ગૌસ્વામીએ ભોજન બનાવતા વખતે તેમાં ઝેર ભેળવી દઈને દિયર મહાદેવ ગીરી તથા સસરા ઈશ્વરગીરીને તે ભોજન જમાડી દીધી હતું. જેના કારણે બન્નેની તબિયત લથડી હતી.

પરિવારજનો એકત્રિત થઈને બન્નેને સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ દિયર મહાદેવગીરીને તબીબે મૃત જાહેર કર્યો હતો, જ્યારે ફરિયાદીના પિતા ઈશ્વરગીરીની તબિયત નાજુક હોવાથી હાલમાં તેઓ પાટણની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તો બીજી તરફ, બનાવના પગલે શંખેશ્વર પોલીસે પુત્રવધૂ જયા ગૌસ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.શંખેશ્વર પોલીસે પુત્રવધૂ જયા ગૌસ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories