પાટણના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે બનાસ નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે
પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના રાધનપુર સાતલપુર સમી તાલુકાના બનાસ નદીના કાંઠાના ગામના ખેડૂતોની રજૂઆતને ધ્યાને રાખી નર્મદા નિગમની કેનાલમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આજરોજ ધારાસભ્યના હસ્તે ગેટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.નર્મદા નિગમના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાંથી ગેટ ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું