Connect Gujarat
ગુજરાત

પાટણ : શંખેશ્વર-પંચાસર માર્ગ પર 2 લક્ઝરી અને કાર વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, 6 લોકો ઘાયલ...

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના સુંધામાતાના મંદિરે દર્શન કરી પરત ફરી રહેલ પઢાર પરિવારને અકસ્માત નડ્યો હતો.

X

પાટણ જિલ્લાના હાઇવે માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વર-પંચાસર માર્ગ પર 2 લક્ઝરી અને ઇકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સજૉતા એક વ્યક્તિનું મોત, જ્યારે 6 લોકોને ઈજા પહોચી હતી.

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના સુંધામાતાના મંદિરે દર્શન કરી પરત ફરી રહેલ પઢાર પરિવારને અકસ્માત નડ્યો હતો. પાટણ જિલ્લાના શંખેશ્વર-પંચાસર માર્ગ પરથી પઢાર પરિવાર ઇકો કારમાં પસાર થઈ રહ્યો હતો, ત્યારે માર્ગ પરથી પસાર થઈ રહેલ 2 લક્ઝરી અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઇકો કારમાં સવાર 1 વ્યક્તિનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જેટલા લોકોને ઈજાઓ પહોચતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બાવળા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્રિપલ અકસ્માતની જાણ થતાં પોલીસ સહિત આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ, પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિના મોત અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story