મહેસાણા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 71 ફૂટ ઊંચી પ્રતિમાનું પ્રદેશ અધ્યક્ષના હસ્તે કરાયું અનાવરણ

વડાપ્રધાન મોદીના જન્મદિનની અનોખી રીતે ઉજવણી , 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું પીએમ મોદીનું સ્ટેચ્યું.

New Update
મહેસાણા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 71 ફૂટ ઊંચી પ્રતિમાનું પ્રદેશ અધ્યક્ષના હસ્તે કરાયું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની મહેસાણામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું પીએમ મોદીનું પ્રતિમા તૈયાર કરવામાં આવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવસ નીમીત્તે મહેસાણા ખાતે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું પીએમ મોદીની પ્રતિમાનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત અને દેશમાં કદાચ સૌથી ઊંચું વડાપ્રધાનના સ્ટેચ્યુના ઉદઘાટન કાર્યક્રમને લઈ મહેસાણાવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ સ્ટેચ્યું મહેસાણાના રાજધાની ફાઉન્ડેશન અને એચ. એલ. રાય ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીકાંત પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયું છે. તો આજે રાત્રે 171 કપલ દ્વારા શ્રી રામની આરતીનું આયોજન પણ કરાયું છે. 

Read the Next Article

ભરૂચ: ઝાડેશ્વરની સંસ્કાર વિદ્યાભવન શાળામાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વાલીઓનો હોબાળો, શાળા સંચાલકોને કરાય રજુઆત

વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે.

New Update
  • ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી છે શાળા

  • સંસ્કાર વિદ્યાભવન શાળાનો વધુ એક વિવાદ

  • સ્કૂલ વાહનોને અડધો કી.મી.દૂર ઉભા રખાય છે

  • સ્કૂલમાંથી જ નાસ્તા માટે દબાણ કરાતું હોવાના આક્ષેપ

  • શાળા સંચાલકોએ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવનમાં વાલીઓએ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવી શાળા સંચાલકોને રજૂઆત કરી હતી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવન શાળા હંમેશા વિવાદોમાં સપડાતી રહે છે. તાજેતરમાં જ જિલ્લાશિક્ષણાધિકારીએ શાળાને લોગો વાળી બુકના વેચાણ મામલે નોટીસ પાઠવ્યા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે.
આજરોજ વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો અને આચાર્યને રજુઆત કરી હતી.વાલીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે.
આ ઉપરાંત કાળઝાળ ગરમી વચ્ચે શાળામાં વારંવાર વીજળી ડુલ થઈ જાય છે આમ છતાં જનરેટર સહિતની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ ગરમીમાં શેકાવાનો વારો આવે છે. તો બીજી તરફ શાળામાંથી અપાતા ભોજનની ગુણવત્તા ન હોવા છતાં સંચાલકો દ્વારા શાળામાં ફરજિયાત ભોજનનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે જેની સામે વાલીઓએ રોષ વ્યક્ત કરી તેઓના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી
અંગે શાળાના આચાર્ય શૈલજા સિંગે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ દ્વારા તેમના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે.આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.