પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લાભર્થીઓ માટે જીવનરેખા સમાન બની,દેશના કોઈ પણ ખૂણામાંથી મળે છે અનાજ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. યોજના હેઠળ ગરીબ પરિવારને દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ ઘઉં અને ચોખા આપવામાં આવે છે.

New Update
  • PM ગરીબ કલ્યાણ અન્ન યોજના બની લાભકારી

  • લાભાર્થીઓ માટે જીવનરેખા સમાન બની

  • વન નેશન,વન રેશન કાર્ડથી મેળવી રહ્યા છે રાશન

  • દેશના કોઈપણ ખૂણેથી મેળવી શકાય છે અનાજ

  • ગરીબ પરિવારને મળી રહ્યું છે અનાજ     

Advertisment

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગુજરાતના અસંખ્ય પરિવારો માટે જીવનરેખા બની છે. આ યોજના જરૂરિયાતમંદ લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.વન નેશનવન રેશન કાર્ડની સફળ અમલવારી ને કારણે લાભાર્થીઓ હવે દેશમાં ક્યાંયથી પણ સરળતાથી અનાજ મેળવી શકે છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. યોજના હેઠળ ગરીબ પરિવારને દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ ઘઉં અને ચોખા આપવામાં આવે છે. સુરતના મંજૂલાબેન પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેમના પતિ ગુજરાન ચલાવવા માટે ખેતી કામ અને મજૂરી કરે છેજેનાથી મહિને ફક્ત 8 હજારથી 10 હજાર રૂપિયાની આવક થાય છે. આવી પરિસ્થિતિમાંસરકાર દ્વારા મળતું અનાજ તેમના પરિવારના ચાર સભ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે.

ગુજરાતમાં 76.6 લાખથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળે છેજે લગભગ 3.72 કરોડથી વધુ લોકોની જનસંખ્યા આવરી લે છે.ધનંજય દુબે જેવા ઓટો-રિક્ષા ચાલકો માટે જાહેર વિતરણ વ્યવસ્થા માંથી મળતું સસ્તું અનાજ આશીર્વાદરૂપ છે. ખાસ કરીને જ્યારે રોજિંદી આવક અનિશ્ચિત હોય. સુરતમાં ઓટો-રિક્ષા ચલાવતા ધનંજય દુબે વન નેશનવન રેશન કાર્ડ’ યોજનાને ગેમ ચેન્જર’ કહે છે. કારણ કે તેઓ મૂળ બિહારના છેપરંતુ હવે સમગ્ર દેશમાં ગમે ત્યાંથી સરળતાથી અનાજ મેળવી શકે છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ વિસ્તૃત કરવાની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખી 7 માર્ચ2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરતથી એક જ સમયેએક સાથે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. તેમાં ખાસ કરીને ગંગા સ્વરૂપા એટલે કે વિધવા બહેનોવૃદ્ધ વ્યક્તિઓદિવ્યાંગો વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

Advertisment
Latest Stories