વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગર ખાતે રૂ.280 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે છે.જ્યાં તેઓ રૂ.280 કરોડથી વધુના ખર્ચના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન

New Update
  • ગુજરાતની બે દિવસીય મુલાકાતે PM મોદી
  • એકતા નગર ખાતે PM મોદી કરશે બે દિવસનું રોકાણ
  • PM ના હસ્તે રૂ.280 કરોડના પ્રકલ્પોનું ઉદઘાટન અને શિલાયન્સ કરાયો
  • 31મીના રોજ PM મોદી પુષ્પાંજલિ કરશે અર્પણ
  • PMએ કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને કર્યા સંબોધિત

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે છે.જ્યાં તેઓ રૂ.280 કરોડથી વધુના ખર્ચના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદPM મોદીએ આરંભ 6.0 કાર્યક્રમમાં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કર્યા હતા.

PM મોદી દ્વારા બોન્સાઈ ગાર્ડનસુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટસરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલટ્રાફિક સર્કલ્સસ્માર્ટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છેત્યાર બાદPM મોદી એકતાનગર ખાતે આવેલાVVIP ગેસ્ટહાઉસ ખાતે જ રાત્રિ રોકાણ કરશે અને તારીખ 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા પરેડ નિહાળશે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.