વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગર ખાતે રૂ.280 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે છે.જ્યાં તેઓ રૂ.280 કરોડથી વધુના ખર્ચના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન

New Update
  • ગુજરાતની બે દિવસીય મુલાકાતે PM મોદી
  • એકતા નગર ખાતે PM મોદી કરશે બે દિવસનું રોકાણ
  • PM ના હસ્તે રૂ.280 કરોડના પ્રકલ્પોનું ઉદઘાટન અને શિલાયન્સ કરાયો
  • 31મીના રોજ PM મોદી પુષ્પાંજલિ કરશે અર્પણ
  • PMએ કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને કર્યા સંબોધિત

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે છે.જ્યાં તેઓ રૂ.280 કરોડથી વધુના ખર્ચના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદPM મોદીએ આરંભ 6.0 કાર્યક્રમમાં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કર્યા હતા.

PM મોદી દ્વારા બોન્સાઈ ગાર્ડનસુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટસરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલટ્રાફિક સર્કલ્સસ્માર્ટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છેત્યાર બાદPM મોદી એકતાનગર ખાતે આવેલાVVIP ગેસ્ટહાઉસ ખાતે જ રાત્રિ રોકાણ કરશે અને તારીખ 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા પરેડ નિહાળશે.

Read the Next Article

પંચમહાલ : પાવાગઢ ખાતે પાંચ દિવસ રોપ વેની સેવા રહેશે બંધ,ભક્તોએ પગથિયા ચઢીવાનો વિકલ્પ કરવો પડશે પસંદ

તારીખ 28મી જુલાઈથી 1 ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસ સુધી રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ભક્તોએ પાવાગઢના પગથિયા ચઢીને મહાકાળી માતાના દર્શન કરવા પડશે

New Update
  • પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટે છે ભક્તો

  • રોપ વે સેવા માટે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય

  • મેન્ટેનન્સની કામગીરીને લઈને કરવામાં આવ્યો નિર્ણય

  • આગામી 28 જુલાઈથી 1ઓગષ્ટ સુધી રોપ-વે રહેશે બંધ

  • પાંચ દિવસ ભક્તોએ પગથિયાનો વિકલ્પ કરવો પડશે પસંદ 

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન અર્થે જતા ભક્તો માટે મહત્વના સમાચાર છે,રોપ વેના મેન્ટેનન્સની કામગીરીને લઈને પાંચ દિવસ સુધી ઉડન ખટોલાની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અને ભક્તોની આસ્થાનુ સ્થાનક શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડે છે,અને ખાસ વિશેષ વાર તહેવાર કે શનિવાર અને રવિવારની રજાઓમાં પણ ભક્તોનું કિડીયારું ઉભરાય છે.જોકે પાવાગઢ પર્વતના પગથિયા ચઢતા ભક્તો માટે રોપ વે સેવા ચાલી રહી છે,પરંતુ ઉષા બ્રેકો કંપની દ્વારા ઉડન ખટોલા રોપ વે સેવાના મેન્ટેનન્સ અર્થે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જેમાં તારીખ 28મી જુલાઈથી 1 ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસ સુધી રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ભક્તોએ પાવાગઢના પગથિયા ચઢીને મહાકાળી માતાના દર્શન કરવા પડશે,જ્યારે આગામી તારીખ 2જી ઓગષ્ટના રોજથી રેપ વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.