મોરબીના હળવદ માળિયા હાઇવે પર ખાનગી બસે મારી પલટી, 13 લોકો ઈજાગ્રસ્ત

New Update
મોરબીના હળવદ માળિયા હાઇવે પર ખાનગી બસે મારી પલટી, 13 લોકો ઈજાગ્રસ્ત

મોરબીમાં ખાનગી બસ પલટી જતા 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.મળતી જાણકારી અનુસાર, કચ્છ જઇ રહેલી એક ખાનગી બસ હળવદ માળિયા હાઇવે પર પલટી ખાઇ ગઇ હતી.ખાનગી બસ વડોદરાથી કચ્છના આદિપુર જઇ રહી હતી. બસમાં 31 જેટલા લોકો સવાર હતા. ત્યારે હળવદ-માળિયા હાઇવે પર ખાનગી બસ પલટી ગઇ હતી. જેથી 13 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

Advertisment

અકસ્માતમાં ઘાયલ થનારાઓમાં વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ, રહે- ધોળકા, વિનુભાઈ પરમાર (45) રહે, અમદાવાદ, વિજયભાઈ રામચંદ્ર ગુપ્તા (23) અમદાવાદ, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (24) રહે, આણંદ, સૌરભ સોની (30) રહે, બરોડા, દિપક પરસોત્તમ આણંદદાની (34) , કલ્પના દિપક આણંદ દાની(34) આદિપુર, રવિભાઈ પટેલ (31) રહે. અંજાર, ઇરસાદભાઈ આલમભાઈ (32) ગાંધીધામ, દિનેશભાઇ કાંતિલાલ (58) કચ્છ, કાનો દિનેશભાઇ (19) અમદાવાદ, દિગ્વિજયભાઈ કાનભાઈ, સમીખિયારી, લીલાબેન રાજેશભાઇ (40) ગાંધીધામનો સમાવેશ થાય છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment
Latest Stories