સાબરકાંઠા: હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના વધુ 5 શંકાસ્પદ કેસ

સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ પાંચ શંકાસ્પદ કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે

New Update

સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ પાંચ શંકાસ્પદ કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે

સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં  વધુ 5 કેસ નોંધાયા છે.સાથોસાથ પુના લેબોરેટરીમાં મોકલાવવામાં આવેલા નમૂનાઓ પૈકી બે નમુના પોઝિટિવ આવતા તંત્ર પણ પૂર્ણ ગંભીરતાથી કામે લાગ્યું છે.  જે જગ્યાએથી કેસ મળી આવેલા તે 5 કિલોમીટરની ત્રિજ્યામાં સર્વેલન્સ શરૂ કરાયું છે. સાથોસાથ આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પાયારૂપ જાણકારી આપવામાં આવી છે.

Latest Stories