સાબરકાંઠા : ઇડરમાં ધોળે દિવસે રૂ.15 લાખની લૂંટથી સનસનાટી મચી,બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર.

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ધોળે દહાડે બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો 15 લાખની રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા,સર્જાયેલી ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

New Update
  • ઇડરમાં ધોળે દિવસે બની લૂંટની ઘટના

  • બેંક કમર્ચારી બન્યો લૂંટનો ભોગ

  • બાઈક સવાર અજાણ્યા શખ્સો રૂ.15 લાખ રોકડ લૂંટીને ફરાર

  • બેંકમાં રૂપિયા જમા કરવા જતા બની લૂંટની ઘટના

  • પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના સોર્સના આધારે શરૂ કરી તપાસ

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ધોળે દહાડે બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો 15 લાખની રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા,સર્જાયેલી ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં મંગળવારે બપોરે એ.યુ. બેંકમાં કલેક્શનનું કામ કરતા વિક્રમસિંહ બળવંતસિંહ ઝાલા બપોરે બેંકમાંથી રૂપિયા 15 લાખ રોકડ થેલામાં લઈને નીકળ્યા હતા. તેઓ આ રકમ અન્ય બેંકમાં જમા કરાવવા માટે રિક્ષામાં જઈ રહ્યા હતા.બપોરે પોણા બે વાગ્યાના સુમારે કે.એમ.પટેલ વિદ્યામંદિર નજીક બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા. તેમણે રિક્ષામાં આગળ બેઠેલા વિક્રમસિંહના હાથમાંથી રોકડ ભરેલો થેલો ઝૂંટવી લીધો અને ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા ઇડરના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલપી આઈ  સી.જી.રાઠોડ, PSI પી.એમ.ઝાલા તેમજ  સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. વિક્રમસિંહ ઝાલાની ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

Read the Next Article

ભરૂચ: વાગરાના કડોદરા ગામે કોંગ્રેસે કરી જનતા રેડ, મનરેગા કૌભાંડને ઉજાગર કર્યાનો દાવો

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડું હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસની જનતા રેડ

  • વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરાય

  • વધુ એક મનરેગા કૌભાંડ ઉજાગર કરાયાનો દાવો

  • ખોટા જોબ કાર્ડ બનાવી મજૂરી ચૂકવાઈ હોવાનો આરોપ

  • ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા તજવીજ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડું હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના વાગરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા  કડોદરા ગામે જનતા રેડ કરાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, પંચાયતના સભ્યો અને ગ્રામજનો સાથે મંગળવારે જનતા રેડ કરી હતી. જેમાં કડોદરા પંચાયત ભવન ખાતે મનરેગા યોજનાના કામોમાં JCB અને મશીનરીથી કામગીરી કરી, મજૂરોના નામે ફર્જી પેમેન્ટ બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયા. 
બિલો ઓવરએસ્ટીમેટ કરી, ગ્રામ્ય તંત્રના તાંત્રિક અધિકારીઓ અને આયોજકોએ મંજુરી આપી હોવાનો આરોપ લગાવાયો હતો. આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે મનરેગા જેવી મજુરોની યોજનામાં ભ્રષ્ટાચારની સાંકળ તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે. જો યોગ્ય તપાસ ન થાય તો ભવિષ્યમાં આક્રમક આંદોલન થશે.કોંગ્રેસે આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી, વિજિલન્સ અને કલેકટરને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી છે.