સાબરકાંઠા : ઇડરમાં ધોળે દિવસે રૂ.15 લાખની લૂંટથી સનસનાટી મચી,બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર.

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ધોળે દહાડે બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો 15 લાખની રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા,સર્જાયેલી ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

New Update
  • ઇડરમાં ધોળે દિવસે બની લૂંટની ઘટના

  • બેંક કમર્ચારી બન્યો લૂંટનો ભોગ

  • બાઈક સવાર અજાણ્યા શખ્સો રૂ.15 લાખ રોકડ લૂંટીને ફરાર

  • બેંકમાં રૂપિયા જમા કરવા જતા બની લૂંટની ઘટના

  • પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના સોર્સના આધારે શરૂ કરી તપાસ

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ધોળે દહાડે બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો 15 લાખની રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા,સર્જાયેલી ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં મંગળવારે બપોરે એ.યુ. બેંકમાં કલેક્શનનું કામ કરતા વિક્રમસિંહ બળવંતસિંહ ઝાલા બપોરે બેંકમાંથી રૂપિયા 15 લાખ રોકડ થેલામાં લઈને નીકળ્યા હતા. તેઓ આ રકમ અન્ય બેંકમાં જમા કરાવવા માટે રિક્ષામાં જઈ રહ્યા હતા.બપોરે પોણા બે વાગ્યાના સુમારે કે.એમ.પટેલ વિદ્યામંદિર નજીક બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા. તેમણે રિક્ષામાં આગળ બેઠેલા વિક્રમસિંહના હાથમાંથી રોકડ ભરેલો થેલો ઝૂંટવી લીધો અને ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા ઇડરના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલપી આઈ  સી.જી.રાઠોડ, PSI પી.એમ.ઝાલા તેમજ  સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. વિક્રમસિંહ ઝાલાની ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.