સાબરકાંઠા : ઇડરમાં ધોળે દિવસે રૂ.15 લાખની લૂંટથી સનસનાટી મચી,બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર.

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ધોળે દહાડે બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો 15 લાખની રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા,સર્જાયેલી ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

New Update
  • ઇડરમાં ધોળે દિવસે બની લૂંટની ઘટના

  • બેંક કમર્ચારી બન્યો લૂંટનો ભોગ

  • બાઈક સવાર અજાણ્યા શખ્સો રૂ.15 લાખ રોકડ લૂંટીને ફરાર

  • બેંકમાં રૂપિયા જમા કરવા જતા બની લૂંટની ઘટના

  • પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના સોર્સના આધારે શરૂ કરી તપાસ

Advertisment W3.CSS

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ધોળે દહાડે બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો 15 લાખની રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા,સર્જાયેલી ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં મંગળવારે બપોરે એ.યુ. બેંકમાં કલેક્શનનું કામ કરતા વિક્રમસિંહ બળવંતસિંહ ઝાલા બપોરે બેંકમાંથી રૂપિયા 15 લાખ રોકડ થેલામાં લઈને નીકળ્યા હતા. તેઓ આ રકમ અન્ય બેંકમાં જમા કરાવવા માટે રિક્ષામાં જઈ રહ્યા હતા.બપોરે પોણા બે વાગ્યાના સુમારે કે.એમ.પટેલ વિદ્યામંદિર નજીક બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા. તેમણે રિક્ષામાં આગળ બેઠેલા વિક્રમસિંહના હાથમાંથી રોકડ ભરેલો થેલો ઝૂંટવી લીધો અને ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા ઇડરના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલપી આઈ  સી.જી.રાઠોડ, PSI પી.એમ.ઝાલા તેમજ  સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. વિક્રમસિંહ ઝાલાની ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

 

Read the Next Article

ગીર સોમનાથ : માણેકપુરમાં પાણીની સમસ્યા,મહિલા સરપંચે બાળકોને પાણી પુરવઠા કચેરીમાં સ્નાન કરાવી ધરણા પર બેઠા

ઉનાના માણેકપુર ગામે 15 દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિતનો પરિવાર ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવી કરી રજૂઆત..

New Update
  • માણેકપુરમાં પાણીની ગંભીર સમસ્યા

  • મહિલા સરપંચ દ્વારા કરાઈ રજૂઆત

  • પાણી પુરવઠા કચેરીમાં કરી રજૂઆત

  • પાણી પુરવઠા કચેરીમાં બાળકોને કરાવ્યું સ્નાન

  • મહિલા સરપંચે કપડા પણ ધોયા

  • કચેરીમાં જ મહિલા સરપંચના ધરણા  

Advertisment W3.CSS

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માણેકપુર ગામે પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે,જેના કારણે મહિલા સરપંચ સહિતનો પરિવાર પાણી પુરવઠા વિભાગની કચેરીએ દોડી આવ્યો હતો,અને કચેરીમાં જ બાળકોને સ્નાન કરાવ્યું હતું,અને કપડા ધોઈને ધારણા પર બેઠા હતા.

ઉનાના માણેકપુર ગામે 15 દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિતનો પરિવાર ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યો હતો,અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં નિયમિત પણે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં છેવાડે માણેકપુર ગામ આવેલું છે.આ ગામની કુલ વસ્તી 5500 થી 6000 જેટલી છે.આ ગામમાં છેલ્લા 15 થી 20 દિવસથી પાણી આવતું ન હોય અને સરપંચ પતિ લાખા રાઠોડ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારી વિશાલ ભાટાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આ ગામમાં પાણીની સમસ્યાનું નિરાકરણ થયુ નહોતું.

આ માણેકપુર ગામમાં પાણીના બે જેટલા સંપ આવેલા છે,પરંતુ અહીંયા સુધી પાણી નહીં પહોંચતા બંને પાણીના સંપ પણ ખાલી છે અને લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. તેમજ પાણી નહીં આવતા મહિલા સરપંચ સહિતનાઓએ પાંચ દિવસથી સ્નાન પણ કર્યું ન હોવાથી સરપંચના બંને પુત્રોને પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે લઇ આવી સ્નાન કરાવ્યું હતું,અને કપડા પણ ધોયા હતા.આ માણેકપુર ગામમાં પીવાનું પાણી અને પશુઓ માટે પણ પાણી નહીં મળતા દૂર દૂર સુધી પાણી ભરવા માટે ભટકવું પડે છે.ત્યારે મહિલા સરપંચ તેમના પતિ સાથે પાણી પુરવઠાની કચેરીમાં જ ધારણા પર બેસીને ગામમાં નિયમિત પાણી મળે તે માટે માંગ કરી રહ્યા છે.