સાબરકાંઠા: વૈજનાથ દાદાને પાઘડી અર્પણ કરાય, આકર્ષક રંગોળી બનાવાય

ગુજરાત | Featured | સમાચાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢમાં આજે ભક્તોએ અલગ રંગોની રંગોળી બનાવી વૈજનાથ દાદાને પાઘડી અર્પણ કરી હતી.દાદાના શણગારના દર્શન

author-image
By Connect Gujarat Desk
New Update
રંગોળી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢમાં આજે ભક્તોએ અલગ રંગોની રંગોળી બનાવી વૈજનાથ દાદાને પાઘડી અર્પણ કરી હતી. દાદાના શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસમાં અલગ અલગ પ્રકારના રોજ સાંજે હિંમતનગરના રાયગઢમાં આવેલ પ્રતાપસાગર પાસેના પૌરાણિક વૈજનાથ દાદાને શ્રાવણ વદ બારસને શુક્રવારે સાંજે યુવકોએવિવિધ કલરોનો ઉપયોગ કરીને રંગોળી બનાવી હતી અને દાદાને પાઘડી અર્પણ કરી હતી.પાઘડીના શણગારમાં સજેલા દાદાને ધૂપ અને દીપ આરતી કરવામાં આવી હતી. ભક્તિમય વાતાવરણમાં ભક્તો અને ગ્રામજનોએ અનોખા પાઘડીના શણગારમાં દાદાના દર્શન કરી ધન્યતા
અનુભવી હતી
Read the Next Article

ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય, વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો,

New Update
vrd bh

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું. 

રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8,500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Latest Stories