સાબરકાંઠા : પ્રાંતિજ પાલિકાના આયોજન વગરની નિતીથી ત્રસ્ત પ્રાંતિજવાસીઓની પાલિકામાં ઉગ્ર રજૂઆત...

હાલતો કોંગ્રેસ નગરજનોના વ્હારે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

New Update
સાબરકાંઠા : પ્રાંતિજ પાલિકાના આયોજન વગરની નિતીથી ત્રસ્ત પ્રાંતિજવાસીઓની પાલિકામાં ઉગ્ર રજૂઆત...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા લોકોને આપવામાં આવતી પ્રાથમિક જરૂરિયાત એવી પાણીની સુવિધા આપવામાં જ નિષ્ફળ નિવડી છે. છેલ્લા 15 દિવસથી પ્રાંતિજના વિવિધ વિસ્તારોમા ક્યાંક પાણી ન આવતું, તો ક્યાંક પાણી દુર્ગંધયુક્ત લીલુ-પીળુ કે, ક્યાંક માત્ર 20 મીનીટ જ પાણી આપવામાં આવતા ઉનાળાની ગરમીમાં રહીશો પાણી માટે વલખા મારે છે, ત્યારે જવાબદાર તંત્ર જાણે હાલ તો સબ સલામત હોય તેમ ઓફિસમાં બેઠુ હોય તેવુ સ્પષ્ટપણે જણાઇ આવે છે એક બાજુ રહીશોને પાણી ન મળતું હોય, તો બીજી બાજુ પાલિકાના કર્મચારી જેમ ફાવે તેમ બોલતા હોવાના આક્ષેપ સાથે મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પોહચ્યો હતો.

ત્યારે હાલતો કોંગ્રેસ નગરજનોના વ્હારે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. તો આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ પટેલ , જિલ્લા માયનોરીટી પ્રમુખ , કોંગ્રેસ પ્રાંતિજ શહેર પ્રમુખ ચિરાગ ભાઇ પટેલ , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ કમળાબેન પરમાર , સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહીને આવેદનપત્ર સુપત કરી રજુ કરી.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.