સાબરકાંઠા: હિંમતનગરમાં આંગડીયા કર્મી લૂંટાયો, પોલીસની ઓળખ આપીને 49.40 લાખના સોના ચાંદીની લૂંટ

આંગડીયા કર્મીના બાઇકને ઉભુ રખાવીને ડ્રગ્સનો ધંધો કરો છો કહીને આરોપીઓ તેમની પર તૂટી પડીને માર માર્યો હતો

New Update
સાબરકાંઠા: હિંમતનગરમાં આંગડીયા કર્મી લૂંટાયો, પોલીસની ઓળખ આપીને 49.40 લાખના સોના ચાંદીની લૂંટ

સાબરકાંઠાનો ચકચારી બનાવ

હીમતનગરમાં આંગડીયાકર્મી લૂંટાયો

પોલીસની ઓળખ આપી લૂંટ ચાલવાય

રૂ. 49 લાખથી વધુના માલમત્તાની લૂંટ

પોલીસે તપાસ શરૂ કરી

સાબરકાંઠા જિલ્લાના હીમતનગરમાં લૂંટની ઘટના સામે આવી છે જેમાં આંગડિયા પેઢીના કર્મચારીને પોલીસની ઓળખ આપી રૂપિયા 49 લાખથી વધુના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાય હોવાનું સામે આવ્યું છે હિંમતનગર શહેરના મુખ્ય બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન રોડ પર જવા દરમિયાન પોલીસની ઓળખ આપીને આંગડીયાના કર્મચારીઓને લૂંટી લીધાનો બનાવ સામે આવ્યો છે. સવારના અરસા દરમિયાન આંગડીયા પેઢીના કર્મચારીને બે અલગ અલગ કારમાં આવેલ પાંચેક શખ્શોએ પોલીસ હોવાની ઓળખ આપીને આંગડીયા કર્મચારીનું બાઇક રોક્યુ હતુ.

આંગડીયા કર્મીના બાઇકને ઉભુ રખાવીને ડ્રગ્સનો ધંધો કરો છો કહીને આરોપીઓ તેમની પર તૂટી પડીને માર માર્યો હતો. આ સાથે જ તેમની પાસે રહેલ આંગડીયાનો કિંમતી જથ્થો પણ લૂંટારુઓ લઈને ફરાર થઇ ગયા હતા. લુંટારુઓએ આંગડીયા કર્મીઓને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે એમ કહી કારમાં બેસાડી દીધેલા. કારને વિજાપુર હાઇવે પર દોડાવી મુકી હતી.

જેમાંથી એક કર્મચારી કાર ધીમી પડતા નિચે કુદી પડ્યો હતો. આંગડીયા પેઢીનો થેલો જે લઈને કર્મચારીઓ આવી રહ્યા હતા. તેમાં 49.40 લાખ રુપિયાના સોના અને ચાંદીના દાગીના ભરેલા હતા. થેલામાં અલગ અલગ પાર્સલ સ્વરુપે પેક કરવામાં આવ્યા હતા. આવા 19 પાર્સલમાં 26 કિલો કરતા વધારે ચાંદી હતી. જેની બજાર કિંમત 19,06,419 લાખ રૂપીયા થવા પામી છે.જ્યારે સોનાના 38 જેટલા પાર્સલ થેલામાં હતા. જેમાં લગભગ 30.34 લાખ રુપિયાની કિંમત અંદાજવામાં આવી રહી છે. કુલ 49 લાખ 40 હજાર રુપિયાની કિંમતની મત્તાની લુંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

Read the Next Article

જુનાગઢ : ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ મામલે AAPના કાર્યકર વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી..!

અજાણ્યા નંબર પરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસ મથકમાં આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી

New Update
  • ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલનો મામલો

  • ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પોલીસ મથકે અરજી અપાય

  • AAPના કાર્યકર સામે ઓડિયો વાયરલ મામલે અરજી દાખલ

  • વેપારીઓએ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં હોબાળો મચાવ્યો

  • અરજી પાછી ખેંચવામાં આવતા સુખદ સમાધાનનો અંત આવ્યો

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર સામે ઓડિયો વાયરલ મામલે પોલીસ મથકમાં અરજી દાખલ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ થતા ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયાના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસ મથકમાં આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.

જેને લઈને ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડની હરાજી 2 કલાક સુધી બંધ રાખવામાં આવી હતીઅને મોટા પ્રમાણમાં હોબાળો કરવામાં આવ્યો હતો. અંતે તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા અને આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયા દ્વારા વાયરલ ઓડિયો અને અરજી પાછી ખેંચવામાં આવતા સુખદ સમાધાનનો અંત આવ્યો હતો.