સાબરકાંઠા: લાકડાના રમકડાં બનાવનારની હાલત કફોડી,એક સમયે જામતી હતી ભારે ભીડ

સાબરકાંઠાના ઇડરના લાકડાના રમકડાં જગવિખ્યાત હતા જો કે ચાઇનીઝ રમકડાનું દૂષણ આવતા આ વ્યવસાય મૃતપાય અવસ્થામાં આવી ગયો છે

New Update
સાબરકાંઠા: લાકડાના રમકડાં બનાવનારની હાલત કફોડી,એક સમયે જામતી હતી ભારે ભીડ

સાબરકાંઠાના ઇડરના લાકડાના રમકડાં જગવિખ્યાત હતા જો કે ચાઇનીઝ રમકડાનું દૂષણ આવતા આ વ્યવસાય મૃતપાય અવસ્થામાં આવી ગયો છે ત્યારે આ વ્યવસાયને ટકાવી રાખવા સરકાર દ્વારા સહાય કરવામાં આવે એવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.

ગુજરાતી લાકડાના રમકડાં માટે ઇડર શહેર પ્રખ્યાત હતું જોકે હાલમાં માત્ર બેથી ત્રણ વેપારી નામ પૂરતા આ વ્યવસાય સાથે જોડાયેલા છે.આગામી સમયમાં સરકાર દ્વારા લાકડાના રમકડાં બનાવનારા કલાકારો સહયોગ જાહેર નહીં કરાય તો મૃતપ્રાય બની રહેલો આ વ્યવસાય સંપૂર્ણપણે નાશ પામશે તે નક્કી છે.છેલ્લા કેટલાક સમયથી દિન-પ્રતિદિન વિદેશી રમકડા સહિત ચીની બજાર પ્રવેશતા હાલમાં ઇડર શહેરના લાકડાના રમકડાં બનાવનારાઓની હાલત કફોડી થઈ છે જેના પગલે 300થી વધારે કલાકારોની સામે હાલમાં 3 થી 4 કલાકારો લાકડાના રમકડા બનાવી રહ્યા છે.જોકે તેમાં પણ હવે કોઈ ખાસ આવક ન રહેતા હવે સ્થાનિક લોકો લાકડાના રમકડા બનાવવાનું છોડી અન્ય બાબતો તરફ વળ્યા છે.સામાન્ય રીતે લાકડાના રમકડાંના રૂપિયા 20 થી લઈ 1,000 સુધીના અલગ-અલગ રમકડાં બનતા હતા. આગામી સમયમાં આ સ્થિતિ યથાવત રહી તો એકાદ બે દુકાનો પણ આગામી સમયમાં બંધ થઈ જશે.હાલના તબક્કે સરકારી સહાય કરવામાં આવે તો સમગ્ર ગુજરાત માટે ગૌરવ રૂપ ગણી શકાય તેવા લાકડાના બજારની બચાવી શકાય તેમ છે.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..
Latest Stories