સાબરકાંઠા: ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો, ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો વિરોધ

ભૂમાફીયાઓએ ગેરકાયદેસર કબજો કરી ગૌચર પચાવી પાડ્યું છે એટલું જ નહીં બેફામ બનેલા ભુમાફિયાઓએ હજારો ઝાડ પણ કાપી નાખ્યા

New Update
સાબરકાંઠા: ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો, ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો વિરોધ

સાબરકાંઠા જિલ્લાના હીમતનગરનો બનાવ

ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો

ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો વિરોધ

ગ્રામજનો ન્યાય માટે હવે લડાયક મુડમાં

તંત્ર કાર્યવાહી કરે એવી માંગ 

ગુજરાતના અન્ય જિલ્લાઓની માફક ભુમાફિયાઓએ સાબરકાંઠા જિલ્લામાં પણ ગૌચરની જગ્યા છોડી નથી. ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી ગૌચરનો સત્યનાશ કરી નાખ્યો છે ત્યારે ગ્રામજનો ન્યાય માટે હવે લડાયક મુડમાં આવ્યા છે..

આ છે હિંમતનગર તાલુકાના નાદરી, પેથાપુર પંથકમાં આવેલું ગૌચર.ભુમાફિયાઓની કાળી નજર આ ગૌચર ઉપર પડી અને ગૌચરનો થઈ ગયો સત્યનાશ....હિંમતનગર તાલુકાના નાદરી પેથાપુર ગામની સીમમાં વડલાવાસ અને રણછોડપુરા એમ ત્રણ ગામનું ગૌચર આવેલું છે ત્યારે આ ગૌચર પર ભૂમાફીયાઓએ ગેરકાયદેસર કબજો કરી ગૌચર પચાવી પાડ્યું છે એટલું જ નહીં બેફામ બનેલા ભુમાફિયાઓએ હજારો ઝાડ પણ કાપી નાખ્યા છે ત્યારે ગ્રામજનોએ આ બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 

Latest Stories