સાબરકાંઠા: ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો, ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો વિરોધ

ભૂમાફીયાઓએ ગેરકાયદેસર કબજો કરી ગૌચર પચાવી પાડ્યું છે એટલું જ નહીં બેફામ બનેલા ભુમાફિયાઓએ હજારો ઝાડ પણ કાપી નાખ્યા

સાબરકાંઠા: ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો, ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો વિરોધ
New Update

સાબરકાંઠા જિલ્લાના હીમતનગરનો બનાવ

ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો

ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો વિરોધ

ગ્રામજનો ન્યાય માટે હવે લડાયક મુડમાં

તંત્ર કાર્યવાહી કરે એવી માંગ 

ગુજરાતના અન્ય જિલ્લાઓની માફક ભુમાફિયાઓએ સાબરકાંઠા જિલ્લામાં પણ ગૌચરની જગ્યા છોડી નથી. ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી ગૌચરનો સત્યનાશ કરી નાખ્યો છે ત્યારે ગ્રામજનો ન્યાય માટે હવે લડાયક મુડમાં આવ્યા છે..

આ છે હિંમતનગર તાલુકાના નાદરી, પેથાપુર પંથકમાં આવેલું ગૌચર.ભુમાફિયાઓની કાળી નજર આ ગૌચર ઉપર પડી અને ગૌચરનો થઈ ગયો સત્યનાશ....હિંમતનગર તાલુકાના નાદરી પેથાપુર ગામની સીમમાં વડલાવાસ અને રણછોડપુરા એમ ત્રણ ગામનું ગૌચર આવેલું છે ત્યારે આ ગૌચર પર ભૂમાફીયાઓએ ગેરકાયદેસર કબજો કરી ગૌચર પચાવી પાડ્યું છે એટલું જ નહીં બેફામ બનેલા ભુમાફિયાઓએ હજારો ઝાડ પણ કાપી નાખ્યા છે ત્યારે ગ્રામજનોએ આ બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો.

#Sabarkantha #Illegal occupation #Gauchar land #ગૌચરની જમીન #નાદરી પેથાપુર ગામ #ભૂમાફિયા
Here are a few more articles:
Read the Next Article