Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવેદના કાર્યક્રમ યોજાયો

પ્રાંતિજમાં આપનો જન સંવેદના કાર્યક્રમ યોજાયો, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા રહ્યા ઉપસ્થિત.

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આમ આદમી પાર્ટીનો જનસંવેદના કાર્યક્રમ યોજાયો હતો જેમા ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં વિધાનસભાણી ચુંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્રારા રાજ્યભરમાં જનસંવેદના કાર્યક્રમ અંતર્ગત લોકોનો સંપર્ક કરી રહ્યા છે, ત્યારે આજે સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે પણ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને વિજય સુંવાળા ઉપસ્થિત રહીને સભાને સંબોધન કર્યુ હતુ. જેમા ગોપાલ ઇટાલિયન દ્રારા હાલની ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા.

કાર્યક્રમણી શરૂઆતમાં ઉપસ્થિત આપના આગેવોનો અને કાર્યકરો દ્રારા પ્રાંતિજ સહિત તાલુકામા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી. આપના આગેવાન વિજય સુંવાળાએ ભાજપ સરકારને આડેહાથ લેતા કહ્યું હતું કે, આ સરકાર માત્ર બોલ બચ્ચન છે અને જોરથી બોલવું જુઠુ બોલવુ તેનુ કામ છે. કોરોનામાં સરકાર દ્રારા રાહત આપવાના બદલે ઉપરથી મોંઘવારી લવાઈ અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા છે.

લાઇટ બીલ, બેંક લોનમાં રાહત આપવાનુ તો ઠીક પરંતુ માસ્કના નામે માત્ર પૈસા ઉધરાવ્યા છે, જેવા આક્ષેપો કારાયા હતા. જ્યારે પ્રાંતિજ ખાતે કાર્યક્રમ દરમ્યાન 50 જેટલા યુવાનો આપમા જોડાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ કરશન પટેલ, પ્રાંતિજ શહેર પ્રમુખ નિખિલ પટેલ, પિયુષ રાજપૂત, સૌરવ પટેલ સહિત આપ હોદેદારો કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story