સાબરકાંઠા : હિમંતનગરનું તખતગઢ ગામ સૌર ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર બન્યું,11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ સંપૂર્ણ સોલર એનર્જી દ્વારા પ્રકાશમય બન્યું છે.સૌર ઉર્જાના ક્ષેત્રમાં અગ્રેસર આ ગામે 11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ ર્ક્યા છે.

New Update
  • તખતગઢ સંપૂર્ણ સોલાર એનર્જી થી બન્યું પ્રકાશમય

  • સહકારી મંડળી દ્વારા લોકોને લોન આપીને પ્રોત્સાહિત કરાયા

  • ગામના દરેક ઘર પર સોલર પેનલ લાગી

  • 11 મહિનામાં ગામે 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા

  • વીજબિલમાં ગ્રામજનોને મળી મોટી રાહત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ સંપૂર્ણ સોલર એનર્જી દ્વારા પ્રકાશમય બન્યું છે.સૌર ઉર્જાના ક્ષેત્રમાં અગ્રેસર આ ગામે 11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ ર્ક્યા છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામે સૌર ઉર્જાના ક્ષેત્રમાં એક નવો દાખલો બેસાડ્યો છે.ગામના દરેક મકાન ઉપર સોલાર પ્લેટ લાગેલી છે,અને આ સૌર ઉર્જા થકી 11 મહિનામાં ગામે 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા છે.તેના સામે વીજળીનો વપરાશ માત્ર 2.50 લાખ હોય ગ્રામજનોને 3 લાખથી વધુની કમાણી થઈ છે.

તખતગઢ ગામની આ સફળતા રાતો રાત નથી મળી.ગ્રામજનોએ એક જૂથ આયોજન કર્યું હતું.ગામના દરેક મકાન ઉપર સોલર લાગે તે માટે ગામની સહાકરી મંડળી ગ્રામજનોને સરળ લોન ઉપલબ્ધ કરાવી હતી,જેના થકી ગામના દરેક વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા છે.અને આજે આ ગામમાં લાઈટ બિલ ન આવતું હોવાથી ગ્રામજનોને મોટી આર્થિક રાહત થઈ છે.

તખતગઢ  ગામમાં સોલાર લાગ્યા બાદ મહિલાઓ હવે પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે.પહેલા મહિલાઓ ચૂલા ઉપર લાકડાથી રસોઈ બનાવતી હતી.પરંતુ સોલાર લાગ્યા બાદ હવે મહિલાઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી રસોઈ બનાવી રહી છે.જેથી લાકડા પણ વપરાતા નથી અને ગેસની પણ મોટી બચત થઈ રહી છે.

તખતગઢ ગામની આ સફળતાએ વાતનો પુરાવો છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ સાધી શકાય છે.આ ગામ અન્ય ગામો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણરૂપ બન્યું છે.

 

Advertisment
Read the Next Article

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે

New Update
aaagagahi

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે.

Advertisment

જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે ગુરૂવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે.

મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો કડાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના ક્વાંટ, નર્મદાના નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે.

Advertisment