સાબરકાંઠા : હિમંતનગરનું તખતગઢ ગામ સૌર ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર બન્યું,11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ સંપૂર્ણ સોલર એનર્જી દ્વારા પ્રકાશમય બન્યું છે.સૌર ઉર્જાના ક્ષેત્રમાં અગ્રેસર આ ગામે 11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ ર્ક્યા છે.

New Update
  • તખતગઢ સંપૂર્ણ સોલાર એનર્જી થી બન્યું પ્રકાશમય

  • સહકારી મંડળી દ્વારા લોકોને લોન આપીને પ્રોત્સાહિત કરાયા

  • ગામના દરેક ઘર પર સોલર પેનલ લાગી

  • 11 મહિનામાં ગામે 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા

  • વીજબિલમાં ગ્રામજનોને મળી મોટી રાહત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ સંપૂર્ણ સોલર એનર્જી દ્વારા પ્રકાશમય બન્યું છે.સૌર ઉર્જાના ક્ષેત્રમાં અગ્રેસર આ ગામે 11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ ર્ક્યા છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામે સૌર ઉર્જાના ક્ષેત્રમાં એક નવો દાખલો બેસાડ્યો છે.ગામના દરેક મકાન ઉપર સોલાર પ્લેટ લાગેલી છે,અને આ સૌર ઉર્જા થકી 11 મહિનામાં ગામે 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા છે.તેના સામે વીજળીનો વપરાશ માત્ર 2.50 લાખ હોય ગ્રામજનોને 3 લાખથી વધુની કમાણી થઈ છે.

તખતગઢ ગામની આ સફળતા રાતો રાત નથી મળી.ગ્રામજનોએ એક જૂથ આયોજન કર્યું હતું.ગામના દરેક મકાન ઉપર સોલર લાગે તે માટે ગામની સહાકરી મંડળી ગ્રામજનોને સરળ લોન ઉપલબ્ધ કરાવી હતી,જેના થકી ગામના દરેક વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા છે.અને આજે આ ગામમાં લાઈટ બિલ ન આવતું હોવાથી ગ્રામજનોને મોટી આર્થિક રાહત થઈ છે.

તખતગઢ  ગામમાં સોલાર લાગ્યા બાદ મહિલાઓ હવે પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે.પહેલા મહિલાઓ ચૂલા ઉપર લાકડાથી રસોઈ બનાવતી હતી.પરંતુ સોલાર લાગ્યા બાદ હવે મહિલાઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી રસોઈ બનાવી રહી છે.જેથી લાકડા પણ વપરાતા નથી અને ગેસની પણ મોટી બચત થઈ રહી છે.

તખતગઢ ગામની આ સફળતાએ વાતનો પુરાવો છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ સાધી શકાય છે.આ ગામ અન્ય ગામો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણરૂપ બન્યું છે.

 

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ