સાબરકાંઠા : પ્રાંતિજ-તલોદને જોડતો મુખ્ય હાઇવે ખખડધજ, સ્થાનિકો પરેશાન

સાબરકાંઠા જિલ્લાના વર્ષ 2015માં બનેલ પ્રાંતિજ અને તલોદ તાલુકા મથકને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં છે

New Update

સાબરકાંઠા જિલ્લાના વર્ષ 2015માં બનેલ પ્રાંતિજ અને તલોદ તાલુકા મથકને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં છે જેને પગલે પ્રાંતિજ શહેર તથા આસપાસના ગ્રામ્ય પંથકોના સ્થાનિકો પરેશાન બની ચૂક્યા છે. 

Advertisment

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકાને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થાય છે જોકે પ્રાંતિજ તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયતમામલતદાર કચેરી,કોર્ટ કચેરીરેલવે સ્ટેશન સહિત અંદાજિત 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આ રોડ ઉપર દિવસ દરમિયાન સ્થાનિક લોકોની મુખ્યત્વે અવરજવર રહેતી હોય છે પરંતુ આ સ્ટેટ હાઇવે છેલ્લા લાંબા સમયથી બિસમાર બન્યો છે જેને લઇને અહીંથી પસાર થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તંત્રને અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.

પરંતુ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે એક જ વર્ષમાં રસ્તો બિસમાર બન્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા સતત આ રસ્તાનું સમારકામ કરી દેવામાં આવતું હતું પરંતુ છેલ્લા દોઢ વર્ષથી રસ્તા પર મસ મોટા ખાડા તેમજ ડામરની સાથે કપચી પણ ઉખડી ગઈ છે પરંતુ તંત્ર દ્વારા આ રસ્તાના નવીનીકરણ માટે ઉદાસીનતા રાખવામાં આવી રહી છે સ્થાનિકો તેમજ વિપક્ષ દ્વારા અનેકવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી હાથ ધરવામાં આવતી નથી અને આ સમગ્ર કારણે હાલ તો પ્રાંતિજ શહેર અને પ્રાંતિજ તાલુકા ની જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment