સાબરકાંઠા : PM મોદીની જાહેરસભા વેળા સાબરડેરી ત્રણ રસ્તાથી રામપુરા ચાર રસ્તા સુધીનો રૂટ બંધ રહેશે !

New Update
સાબરકાંઠા : PM મોદીની જાહેરસભા વેળા સાબરડેરી ત્રણ રસ્તાથી રામપુરા ચાર રસ્તા સુધીનો રૂટ બંધ રહેશે !

લોકસભા 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે આવતીકાલે ગુજરાતની સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરકાંઠા ખાતે સભાને સંબોધન કરશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સરહદમાં આવેલ આમોદરા ગામની સીમમાં જંગી વિજય વિશ્વાસ સભા યોજાશે. આ સભા માટેની તમામ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આટોપી લેવામાં આવી છે.

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનો મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. તેવામાં મુખ્ય રાજકીય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે અનેક સભાઓ તેમજ અલગ અલગ પ્રકારના પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા બેઠક પોતાના હસ્તક કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સરહદી વિસ્તાર પાસે આવેલા આમોદરા ગામ ખાતે કરવામાં આવ્યું છે. આમોદરા ગામના સરકારી પડતર જગ્યા પર તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સભા મંડપ, પાર્કિંગ તેમજ તમામ પ્રકારની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આટોપી લેવામાં આવી છે, અને તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. એક લાખ કરતા વધુ લોકોની સંખ્યા સભા સ્થળે આવવાની હોવાને લઈ એક લાખ લોકોની બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિકોને સંબોધન કરશે. તો બીજી તરફ, PM મોદીની જાહેરસભા દરમ્યાન સાબરકાંઠાના સાબરડેરી ત્રણ રસ્તાથી રામપુરા ચાર રસ્તા સુધીનો રૂટ તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યો છે.

Read the Next Article

સાબરકાંઠા : હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રેલવેના પડતર કામો વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી

સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી રેલવેના અધિકારીઓને સાંસદે વાકેફ કર્યા

New Update
shobhnaben baraiya

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અસારવા-ઉદેપુર વંદેભારત ટ્રેન જલ્દી શરૂ થાય તેમજ હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનનું કામ વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી. 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થઈને રાજસ્થાન સહિત અન્ય રાજયોમાં જતી કેટલીક ટ્રેનો અમદાવાદના અસારવાથી ઉપડી વાયા હિંમતનગર થઈ પસાર થાય છેત્યારે હજુ પણ પ્રજાને જરૂરી ટ્રેન સેવા સહિત અન્ય સગવડો મળી રહી છે તે અધુરી છેત્યારે શુક્રવારે સાબરકાંઠાના સાંસદે હિંમતનગરમાં રેલ્વેના અમદાવાદવડોદારા અને અજમેર ડીવીઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નવી ટ્રેનો શરૂ કરવા ઉપરાંત બંને જિલ્લામાં આવેલા રેલ્વે ઓવરબ્રિજ નીચે ચોમાસામાં ભરાઈ રહેતા પાણીના નિકાલની સમસ્યાથી અધિકારીઓને વાકેફ કરી યોગ્ય કરવાની માંગ કરી હતી.

જેના પ્રત્યુતરમાં રેલ્વેના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં ગમે ત્યારે અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત અન્ય નવી ટ્રેન શરૂ થાય તે માટે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની બાકીની કામગીરી પણ જલ્દી પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી.

હિંમતનગર ખાતે યોજાયેલ રેલ્વે અધિકારીઓે સાથેની બેઠકમાં સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયારમણલાલ વોરાજિલ્લા કલેકટર નારાણયસીંગ સાંદુ સહિત અન્ય અધિકારીઓ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રેલ્વે તંત્ર સાબરકાંઠા-અરવલ્લી અને રાજસ્થાનની પ્રજાને વધુ ટ્રેન સેવા આપવા માટે કટીબધ્ધ છેત્યારે જલ્દીથી અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની આખરી તૈયારીઓને ઓપ આપી દેવાયો છે.

જે ટૂંક સમયમાં શરૂ થવાની શકયતા છે. આ ઉપરાંત બેઠકમાં ત્રણેય ડીવીઝનના સિવિલ વિભાગના અધિકારીઓ સમક્ષ સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી વાકેફે કરવામાં આવ્યા હતા. જેથી આગામી સમયમાં સાંસદ સાથે યોજાયેલ બેઠકનો અહેવાલ ઉપસ્થિત રહેલા રેલ્વેના અધિકારીઓ સત્વરે ડિવીઝન મેનેજરને સુપ્રત કર્યા બાદ આગળની કાર્યવાહી થશે તેવો દાવો કરાયો હતો.

તો બીજી તરફહિંમતનગરઈડર અને ખેડબ્રહ્મા સહિતના અન્ય રેલ્વે સ્ટેશનો પર ચાલી રહેલી કામગીરી બેઠકમાં રજુ કરાઈ હતી. જે સત્વરે પૂર્ણ કરવા માટે રેલ્વે તંત્ર કટીબધ્ધ છેતેવું કહેવાયું હતું. સાથો સાથ પ્રર્વતમાન સમયમાં હિંમતનગર થઈ દોડી રહેલી ટ્રેનોની સંખ્યાસમય અને સ્ટોપેજ વધારવા માટે પણ બેઠકમાં ઉપસ્થિત લોકોએ રજુઆત કરી હતી.

Latest Stories