સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના બારમાં થયેલી યુવકની હત્યાના પગલે સંજાણ બંધનું એલાન

સેલવાસના પુષ્પક બારમાં મિત્રો સાથે પાર્ટી કરવા માટે ગયેલા સંદીપ ધોડીની કોઈ વાતને લઈ બબાલ થઈ હતી. જે ઉગ્ર બનતા બબાલ માં સંદીપ ધોડીની હત્યા થઈ હતી

New Update

સેલવાસના બારમાં સંજાણનાં યુવકની હત્યાનો મામલો

Advertisment

યુવકની હત્યાના પગલે સંજાણમાં ભારે ચકચાર જન્મી

ધારાસભ્ય અનંત પટેલે પરિવારજનોની મુલાકાત લીધી

સંજાણ બંધનું એલાન આપી યોગ્ય ન્યાયની કરી માંગ

વિવિધ 4 મુદ્દે આપવામાં આવ્યું છે સંજાણ બંધનું એલાન

 કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આવેલ સેલવાસના નરોલીના એક બારમાં સંજાણના એક યુવકની હત્યાના પગલે ભારે ચકચાર જન્મી હતી. આ ઘટનાના વિરોધમાં સંજાણ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

 સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં સેલવાસના નરોલીના એક બારમાં સંજાણના એક યુવકની હત્યાનો મામલો ગરમાયો છે. આ મામલે મૃતકના પરિવારજનો અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા તા. 18મી જુલાઇના રોજ સંજાણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને અગ્રણીઓએ આજે મૃતકના પરિવારને મળીને સાંત્વના આપી હતી.

Advertisment

મૃતકના પરિવારને ન્યાય અપાવવા કાલે સંજાણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સેલવાસના પુષ્પક બારમાં મિત્રો સાથે પાર્ટી કરવા માટે ગયેલા સંદીપ ધોડીની કોઈ વાતને લઈ બબાલ થઈ હતી. જે ઉગ્ર બનતા બબાલ માં સંદીપ ધોડીની હત્યા થઈ હોવાનું તેઓએ જણાવી રહ્યા છેઅને ન્યાય માટે 4 માંગ કરવામાં આવી છે. જેમાં મૃતકના પરિવારના ભરણપોષણ માટે રૂ. 50 લાખની માંગબાર માલિક સહિત આરોપીઓ વિરૂદ્ધ એટ્રોસીટી હેઠળ કાર્યવાહીપુષ્પક બારના માલિક વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરી અને બારનું લાઈસન્સ કાયમી રદ્દ થાય તેવી માંગ કરવામાં આવી છે.

 

Advertisment
Read the Next Article

બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહ-હૈદરાબાદમાં ગુજરાતની કરુણા એમ્બ્યુલન્સ સેવાની નોંધ લેવાય...

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે

New Update
  • પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ બની સેવા આશાનું કિરણ

  • પોતાના પશુઓના ઈલાજ માટે પશુપાલકોને મોટી રાહત મળી

  • 1962 પર ફોન કરી એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છે પશુપાલકો

  • અનેક પશુપાલકોએ રાજ્ય સરકારની ઉત્તમ સેવાનો લાભ લીધો 

Advertisment

 ગુજરાતના પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બની રહી છે. હવે પશુપાલકો પોતાના પશુઓના ઈલાજ માટે 1962 પર માત્ર ફોન કરીને એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છેત્યારે અનેક પશુપાલકો પણ રાજ્ય સરકારની આ ઉત્તમ સેવાનો વિશેષ લાભ લઈ રહ્યા છે.

ઓક્ટોબર-2017ના રોજ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે. આજદિન સુધી હજારો પશુપાલકો આ સેવાનો લાભ લઈ ચુક્યા છે.

નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના પશુપાલક ગુલાબ મગનના વાછરડાને નાભિમાં ઘા હતો. તેને ચાલવામાં તકલીફ પડતી હતી. તેથી તેને હોસ્પિટલે લઈ જવાનું કામ કપરું હતું. આ સંજોગોમાં તેમના માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા ઉપયોગી બની. તેઓએ 1962 પર ફોન કરતાં જ માત્ર 15થી 20 મિનિટમાં એમ્બ્યુલન્સ તેઓના ઘર આંગણે આવી હતીજ્યાં નિષ્ણાંત પશુચિકિત્સકે વાછરડાની સમયસર સારવાર કરી હતી.

જોકેઆ મોબાઇલ એમ્બ્યુલન્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં પશુઓના ઓપરેશનથી માંડીને ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે. દરેક એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ઓફિસર અને ડ્રેસર હાજર રહે છે. સમગ્ર ગુજરાતમાં હાલ 623 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાંથી 586 એમ્બ્યુલન્સ ગ્રામીણ વિસ્તારોમાં અને 37 એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં પશુઓની સારવાર સેવામાં રહે છે.

હૈદરાબાદમાં યોજાયેલા બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહમાં ગુજરાતની આ સેવાની નોંધ લેવામાં આવી હતી. નવસારી જિલ્લાની મોબાઇલ એનિમલ ટીમને બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. આમઆજે શ્વેતક્રાંતિ માટે જાણીતા ગુજરાતની આ સેવા રાષ્ટ્રીય સ્તરે પ્રશંસાપાત્ર બની છે.

Advertisment