ભરૂચના શૂટરોએ 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં 24 મેડલ હાંસલ કર્યા

તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલ 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં ભરૂચના શુટરો ને 24 મેડલ પ્રાપ્ત થયા છે જેમાં અજય પંચાલ 1 ગોલ્ડ,ધનવીર રાઠોડ 4 ગોલ્ડ ,હરિશ્રી વ્યાસ

New Update
Shooters from Bharuch bagged 24 medals in the 60th Gujarat State Shooting Competition

તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલ 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં ભરૂચના શુટરો ને 24 મેડલ પ્રાપ્ત થયા છે જેમાં અજય પંચાલ 1 ગોલ્ડ,ધનવીર રાઠોડ 4 ગોલ્ડ ,હરિશ્રી વ્યાસ 1 ગોલ્ડ,અદિતિ રાજેશ્વરી 2 ગોલ્ડ 2 બ્રોન્ઝ,ખુશી ચુડાસમા 2 બ્રોન્ઝ ,એસ.કે રૂશિથા સેલવા 2 સિલ્વર 1 બ્રોન્ઝ ,વંદન ગાંધી 1સિલ્વર 2 બ્રોન્ઝ ,મનવીર રાણા 1 સિલ્વરરૂદ્રાય 1 સિલ્વર 2 બ્રોન્ઝ ,પ્રણવ જોશી 1 સિલ્વરમીનલબા વાઘેલાએ 1 ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

કોચ મિત્તલ ગોહિલના કોચિંગ અને અજય પંચાલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ રાઈફલ એસોસિએશન દ્વારા આયોજિત 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભાગ લઈ કુલ 24 મેડલ હાંસલ કરવા ભરૂચ જિલ્લાના તમામ શૂટરોને અભિનંદન પાઠવી સંસ્થાના પ્રમુખ અરુણ સિંહ રણાએ બધા શૂટરનું સન્માન કર્યુ હતું. તમામ શૂટરો હવે પ્રી નેશનલ અને નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Read the Next Article

ભાવનગર : પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકાર,આદપુરમાં વરસાદી પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા ગ્રામજનોને હાલાકી

પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું..

New Update
  • પાલીતાણામાં વરસ્યો મુશળધાર વરસાદ

  • ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

  • આદપુરમાં રસ્તા પર દોઢ ફૂટ પાણી ભરાયા

  • રસ્તો ગુમ થતા તંત્ર સામે ગ્રામજનોનો રોષ"

  • કોઝવેની વારંવારની રજૂઆત પણ પરિણામ શૂન્ય

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. કાલ સાંજથી રાત સુધી પડેલા ત્રણ ઇંચ વરસાદના કારણે ડુંગરિયાઓમાંથી વહેતા પાણી રસ્તા પર દોઢ ફૂટ સુધી ભરાઈ ગયા છે.જેના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે.ગ્રામજનોનું કહેવું છે કે તળાવ અને રસ્તાની ઊંચાઈના સ્તરની કામગીરીમાં ગોબાચારીના આક્ષેપ લગાવી રહ્યા છે. 

આદપુરના લોકો વર્ષોથી કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છેછતાં તંત્ર આજદિન સુધી તેઓની રજૂઆતને કાને નથી ધરી રહ્યું,અને હવે ફરી એકવાર વરસાદી પાણીના ભરાવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. ગ્રામજનો રોષે ભરાયેલા છે અને તંત્રની જવાબદારીના કામ સામે આક્રોશિત છે.