સોમનાથ : તબીબે કરી નાંખી સરકારી જમીનની "સર્જરી", ગેરકાયદે રીતે બાંધી દીધો રીસોર્ટ

ડૉ. રસિક વઘાસીયા સામે નોંધાયો છે લેન્ડ ગ્રેબિંગનો ગુનો, હડમતિયા ગીરમાં આવેલો છે અથિઝ રીસોર્ટ.

New Update
સોમનાથ : તબીબે કરી નાંખી સરકારી જમીનની "સર્જરી", ગેરકાયદે રીતે બાંધી દીધો રીસોર્ટ

ગીર સોમનાથના હડમતિયા ગીરમાં સરકારી જમીન પર વૈભવી રીસોર્ટ બાંધી દેનારા તબીબની પોલીસે ધરપકડ કરી છે. આરોપી તબીબ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના હડમતિયા ગીરમાં ડૉ. રસિક વઘાસીયાએ વન વિભાગની સરકારી જમીન પર આલિશાન સુવિધાઓ સાથેનું રિસોર્ટ બનાવી કોમર્શિયલ ઉપયોગ શરૂ કરતા તબીબ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠલ ગુનો નોંધવામા આવ્યો છે. સરકારી જમીન પર અથિઝ રીસોર્ટ બનાવી તબીબે તેનો વ્યવસાયિક ઉપયોગ શરૂ કરી દીધો હતો. વન વિભાગે છ વખત નોટીસ આપી હોવા છતાં તબીબે સરકારી જમીન પરના દબાણો દુર કર્યા ન હતાં.

વન વિભાગ તથા સરકારી વિભાગોના સર્વેમાં પણ રીસોર્ટ સરકારી જમીન પર બાંધી દેવાયો હોવાનું ફલિત થયું છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ડૉ. રસિક વઘાસીયા સામે લેન્ડ ગ્રેબિંગ એકટનો ગુનો દાખલ કરવા મંજુરી આપવામાં આવી હતી. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ પોલીસે આરોપી તબીબો ડૉ. વઘાસીયાની ધરપકડ કરી લીધી છે. આરોપીના રીમાન્ડ મેળવવા તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે.

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.