રાજ્ય સરકારનો ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ વન-સંરક્ષણના પ્રયાસમાં અનોખી પહેલ

રાજ્ય સરકારનો ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ વન-સંરક્ષણના પ્રયાસમાં પ્રકૃતિની જાળવણીના તત્વ ઉપરાંત રોજગાર-સર્જનના અવસર જોડાયેલા છે ત્યારે આવો જોઈએ આ પ્રોજેટકની વિશેષતા

New Update
  • રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયો પ્રોજેકટ

  • ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેકટ હાથ ધરાયો

  • વન સંરક્ષણના પ્રયાસમાં અનોખી પહેલ

  • અંબાજી ડુંગરને લીલુંછમ બનાવવા પ્રયાસ

  • 10,000 રોપા તૈયાર કરવામાં આવ્યા

રાજ્ય સરકારનો ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ વન-સંરક્ષણના પ્રયાસમાં પ્રકૃતિની જાળવણીના તત્વ ઉપરાંત રોજગાર-સર્જનના અવસર જોડાયેલા છે ત્યારે આવો જોઈએ આ પ્રોજેટકની વિશેષતા
યાત્રધામ અંબાજીને હરીયાળું બનાવવા અમલમાં મુકાયો છે - ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’. આ પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી 10,000 થી વધુ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન વિભાગે  અંબાજીના ડુંગરને લીલાછમ બનાવવા બીડું ઝડપ્યું છે. વન વિભાગના આ અભિયાને પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે રોજગારના અવસર પણ સર્જયા છે. 
અંબાજી ખાતે તૈયાર થઈ રહેલા આ વન-કવચમાં સ્થાનિક નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. વન વિભાગની આ પહેલમાં સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. 
ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માત્ર એક અભિયાન ન બની રહેતા રોજગાર-સર્જનનું સાધન પણ બન્યું છે. ગુજરાત સરકારના વન વિભાગનો આ પ્રયાસ લાંબા ગાળે ટકાઉ વિકાસનો આધાર બની રહેશે.
Read the Next Article

પંચમહાલ : પાવાગઢ ખાતે પાંચ દિવસ રોપ વેની સેવા રહેશે બંધ,ભક્તોએ પગથિયા ચઢીવાનો વિકલ્પ કરવો પડશે પસંદ

તારીખ 28મી જુલાઈથી 1 ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસ સુધી રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ભક્તોએ પાવાગઢના પગથિયા ચઢીને મહાકાળી માતાના દર્શન કરવા પડશે

New Update
  • પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટે છે ભક્તો

  • રોપ વે સેવા માટે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય

  • મેન્ટેનન્સની કામગીરીને લઈને કરવામાં આવ્યો નિર્ણય

  • આગામી 28 જુલાઈથી 1ઓગષ્ટ સુધી રોપ-વે રહેશે બંધ

  • પાંચ દિવસ ભક્તોએ પગથિયાનો વિકલ્પ કરવો પડશે પસંદ 

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન અર્થે જતા ભક્તો માટે મહત્વના સમાચાર છે,રોપ વેના મેન્ટેનન્સની કામગીરીને લઈને પાંચ દિવસ સુધી ઉડન ખટોલાની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અને ભક્તોની આસ્થાનુ સ્થાનક શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડે છે,અને ખાસ વિશેષ વાર તહેવાર કે શનિવાર અને રવિવારની રજાઓમાં પણ ભક્તોનું કિડીયારું ઉભરાય છે.જોકે પાવાગઢ પર્વતના પગથિયા ચઢતા ભક્તો માટે રોપ વે સેવા ચાલી રહી છે,પરંતુ ઉષા બ્રેકો કંપની દ્વારા ઉડન ખટોલા રોપ વે સેવાના મેન્ટેનન્સ અર્થે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જેમાં તારીખ 28મી જુલાઈથી 1 ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસ સુધી રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ભક્તોએ પાવાગઢના પગથિયા ચઢીને મહાકાળી માતાના દર્શન કરવા પડશે,જ્યારે આગામી તારીખ 2જી ઓગષ્ટના રોજથી રેપ વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.