રાજ્ય સરકારનો ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ વન-સંરક્ષણના પ્રયાસમાં અનોખી પહેલ

રાજ્ય સરકારનો ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ વન-સંરક્ષણના પ્રયાસમાં પ્રકૃતિની જાળવણીના તત્વ ઉપરાંત રોજગાર-સર્જનના અવસર જોડાયેલા છે ત્યારે આવો જોઈએ આ પ્રોજેટકની વિશેષતા

New Update
  • રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયો પ્રોજેકટ

  • ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેકટ હાથ ધરાયો

  • વન સંરક્ષણના પ્રયાસમાં અનોખી પહેલ

  • અંબાજી ડુંગરને લીલુંછમ બનાવવા પ્રયાસ

  • 10,000 રોપા તૈયાર કરવામાં આવ્યા

રાજ્ય સરકારનો ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ વન-સંરક્ષણના પ્રયાસમાં પ્રકૃતિની જાળવણીના તત્વ ઉપરાંત રોજગાર-સર્જનના અવસર જોડાયેલા છે ત્યારે આવો જોઈએ આ પ્રોજેટકની વિશેષતા
યાત્રધામ અંબાજીને હરીયાળું બનાવવા અમલમાં મુકાયો છે - ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’. આ પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી 10,000 થી વધુ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન વિભાગે  અંબાજીના ડુંગરને લીલાછમ બનાવવા બીડું ઝડપ્યું છે. વન વિભાગના આ અભિયાને પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે રોજગારના અવસર પણ સર્જયા છે. 
અંબાજી ખાતે તૈયાર થઈ રહેલા આ વન-કવચમાં સ્થાનિક નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. વન વિભાગની આ પહેલમાં સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. 
ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માત્ર એક અભિયાન ન બની રહેતા રોજગાર-સર્જનનું સાધન પણ બન્યું છે. ગુજરાત સરકારના વન વિભાગનો આ પ્રયાસ લાંબા ગાળે ટકાઉ વિકાસનો આધાર બની રહેશે.
Advertisment
Advertisment
Latest Stories