New Update
રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયો પ્રોજેકટ
ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેકટ હાથ ધરાયો
વન સંરક્ષણના પ્રયાસમાં અનોખી પહેલ
અંબાજી ડુંગરને લીલુંછમ બનાવવા પ્રયાસ
10,000 રોપા તૈયાર કરવામાં આવ્યા
રાજ્ય સરકારનો ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ વન-સંરક્ષણના પ્રયાસમાં પ્રકૃતિની જાળવણીના તત્વ ઉપરાંત રોજગાર-સર્જનના અવસર જોડાયેલા છે ત્યારે આવો જોઈએ આ પ્રોજેટકની વિશેષતા
યાત્રધામ અંબાજીને હરીયાળું બનાવવા અમલમાં મુકાયો છે - ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’. આ પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી 10,000 થી વધુ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન વિભાગે અંબાજીના ડુંગરને લીલાછમ બનાવવા બીડું ઝડપ્યું છે. વન વિભાગના આ અભિયાને પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે રોજગારના અવસર પણ સર્જયા છે.
અંબાજી ખાતે તૈયાર થઈ રહેલા આ વન-કવચમાં સ્થાનિક નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. વન વિભાગની આ પહેલમાં સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માત્ર એક અભિયાન ન બની રહેતા રોજગાર-સર્જનનું સાધન પણ બન્યું છે. ગુજરાત સરકારના વન વિભાગનો આ પ્રયાસ લાંબા ગાળે ટકાઉ વિકાસનો આધાર બની રહેશે.
Latest Stories