સુરત:પરિવારના જ 6 સભ્યને મોતને ઘાટ ઉતારી આપઘાત કરનાર મનીષ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધાયો

New Update
સુરત:પરિવારના જ 6 સભ્યને મોતને ઘાટ ઉતારી આપઘાત કરનાર મનીષ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધાયો

સુરતમાં ચકચાર મચાવનાર પાલનપુર જકાતનાકા વિસ્તારના સોલંકી પરિવારના સાત સભ્યોના સામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસે મનિષ સોલંકી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. એસઆઇટીના તપાસના દર વચ્ચે પણ હજી સુધી આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. જોકે, પરંતુ અત્યાર સુધીની તપાસ અંતર્ગત મનિષ સોલંકી ડિપ્રેશનમાં હોવાનું પોલીસ દ્વારા અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

શહેરના પાલનપુર જકાતનાકા સ્થિત નૂતન રો હાઉસની સામે સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં ગત 28 ઓકટોબરે મનિષ ઉર્ફે શાંતુ કનુ સોલંકી અને તેની પત્ની, સંતાન તથા માતા- પિતાના સામૂહિક આપઘાત સામે આવ્યો હતો. આ કરૂણ ઘટનામાં મનિષ દ્વારા ભરવામાં આવેલા આત્યાંતિક પગલા પાછળનું કારણ જાણવા ડીસીપી ઝોન 5 આર.પી. બારોટની અધ્યક્ષતામાં એસઆઇટી બનાવવામાં આવી હતી. આ એસઆઇટી દ્વારા પોલીસ કમિશનર અજયકુમા૨ તોમરને અત્યાર સુધીનો તપાસ રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઘટના બાદથી આજદિન સુધીમાં જે 112થી વધુ લોકોની પૂછપરછ અને નિવેદન નોંધાવાથી લઇ ઉલટ તપાસ કરવામાં આવી તે તમામ બાબતો રજૂ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી મનિષ દ્વારા તેના ત્રણ સંતાન, પતી અને જન્મદાતા એવા માતા- પિતાને મોતને ઘાત ઉતારવા પાછળ ક્યું કારણ જવાબદાર છે તે હજી સ્પષ્ટ થયું નથી.

Read the Next Article

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું, બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા

New Update
વરસાદ ખબક્યો

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે.

જેમાં પાકિસ્તાનની પાસે  સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

આગામી 6 દિવસ ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. , પાટણ મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદમાં ભારે નહિ પરંતુ મધ્યમ વરસાદનું અનુમાન છે. અરવલ્લી મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. ખેડા,પંચમહાલ, આણંદ,  વડોદરા, ભરૂચ, છોટાઉદેપરુ, નર્મદા આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ટૂંકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.