સુરત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને પગમાં કંકુ ટીકા કરી શાળા પ્રવેશ કરાવ્યો

ઘોડદોડ રોડ વિસ્તાર સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક-2 ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

New Update

વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક-2 ખાતે યોજાયો કાર્યક્રમ

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ

કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રીએ બાળકોને કંકુ ટીકા કરી શાળા પ્રવેશ કરાવ્યો

સિવિલમાંથી બાળકનું અપહરણ ગંભીર મામલો : હર્ષ સંઘવી

સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તાર સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક-2 ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. 26 જૂનથી તા. 28 જૂન 2024 દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે આજથી 21મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તાર સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક-2 ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાલ વાટિકા અને ધોરણ 1ના બાળકોને પગમાં કંકુ ટીકા કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે જ બાળકોને અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં બાળકો પોતાના વાલીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવે તેવી સમજૂતી આપવામાં આવી હતી. જેમાં બાળકોએ પોતાના વાલીઓને બાઈક પર હેલ્મેટ પહેરવાની જીદ કરવી જોઈએ તેવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું. તો બીજી તરફસુરતની સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષના બાળકના અપહરણના ગંભીર મામલે પણ યોગ્ય તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું.

Read the Next Article

નશાકારક દવાના દુરુપયોગ-ગેરકાયદે વેચાણને નાથવા રાજ્યના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા સર્ચ…

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના

New Update
MixCollage-09-Jul-2025-08-36-PM-6592

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણપ્રતિબંધિત દવાઓનો જથ્થોનિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જલોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે. જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓકોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.

જોકેખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છેતેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એમીડોપાયરિનફેનાસેટિનનિયાલામાઇડક્લોરામ્ફેનિકોલફેનીલેફ્રાઇનફ્યુરાઝોલિડોનઓક્સિફેનબુટાઝોન તેમજ મેટ્રોનીડાઝોલનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએઅને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આ ચેકીંગ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં 282 મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એકNDPS એક્ટ હેઠળનો કેસ સહિત કુલ 45 કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરત શહેરમાં 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં 61 મેડિકલ સ્ટોર્સનવસારીમાં 184જામનગરમાં 66 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગભરૂચ જિલ્લામાં 258 સ્થળે ચેકીંગ તેમજ આહવા ડાંગમાં 23 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ 129 મેડિકલ સ્ટોરપંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરાયું હતુંઅને આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.