સુરત: હીરાનગરીમાં PM નરેન્દ્ર મોદી મઢાયા સોનામાં, 156 ગ્રામ સોનાના ઉપયોગથી મુર્તિ કરવામાં આવી તૈયાર

New Update
સુરત: હીરાનગરીમાં PM નરેન્દ્ર મોદી મઢાયા સોનામાં, 156 ગ્રામ સોનાના ઉપયોગથી મુર્તિ કરવામાં આવી તૈયાર

હીરાનગરી સુરતનો અનોખો મોદી પ્રેમ

PM મોદીની સોનામાં મુર્તિ તૈયાર કરવામાં આવી

156 ગ્રામ સોનાનો કરવામાં આવ્યો ઉપયોગ

ગુજરાતમાં 156 બેઠક જિતતા અનોખી રીતે અભિવાદન

હીરા નગરી સુરત શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૧૫૬ ગ્રામ ગોલ્ડમાં મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે ૧૫૬ સીટ પર ઐતિહાસિક જીત હાસિલ કરી છે જેને લઈને સુરતના જવેલર્સ દ્વારા આ અનોખી મૂર્તિ બનાવી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશમાં એક અલગ લોક ચાહના છે દેશમાં તેઓના ચાહકો તેઓના માટે અલગ અલગ રીતે પોતાની લાગણી દર્શાવતા હોય છે ત્યારે હીરા નગરી સુરત શહેરમાં એક જવેલરી મેકિંગ કંપનીએ પીએમ મોદીની અનોખી મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તિ એટલા માટે વિશેષ છે કારણ કે આ મૂર્તિ ૧૫૬ ગ્રામ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે અને તેને તૈયાર કરતા ૩ મહિનાથી વધુ સમય લાગ્યો છે. આ મૂર્તિ બનાવવામાં ૨૦ થી ૨૫ લોકોની ટીમે ૩ મહિના સુધી મહેનત કરી હતી અને આ મૂર્તિને ૧૮ કેરેટ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે અને તેની કિમત અંદાજીત ૧૧ લાખ રૂપિયા છે. આ અંગે જવેલર્સ સંદીપ જૈને જણાવ્યું હતું કે આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ, અને હિંદુસ્તાનમાં લોકોને ગોલ્ડ પ્રત્યે ઘણો લગાવ છે. પીએમ નરેન્દ્ર મોદીની પ્રસશા કરવા માટે શબ્દો ઓછા પડે છે. લોકોની પીએમ પ્રત્યે પણ લાગણી અને ભાવના ગોલ્ડ જેવી જ છે આજ કારણ છે કે અમે પીએમ મોદીની ગોલ્ડમાં પ્રતિમા તૈયાર કરી લાગણીને વધારી છે. 

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories