સુરેન્દ્રનગર : બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 યુવકોના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-વિરમગામ હાઇવે પર બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

New Update

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-વિરમગામ હાઇવે પર બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર,વઢવાણ-વિરમગામ હાઇવે પણ વિઠ્ઠલગઢ નજીક પેટ્રોલ પંપ પાસે બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 3 યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. બનાવના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. તો બીજી તરફઅકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકેપ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કેડમ્પર ચાલકે બાઈક સવારોને અંદાજે 50 મીટરથી વધુ દૂર સુધી ઢસડતા ત્રણેય યુવકોના મોત થયા છે. આ તરફબનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી આવી ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. આ સાથે જ પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

જુનાગઢ : સાસણ સિંહ સદન ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો, સિંહ સરંક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરાય...

જુનાગઢના સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં સિંહ સરંક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય

  • રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં આયોજન કરાયું

  • સિંહ સરંક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન

  • સિંહ સરંક્ષણ અંગેના 2 પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું

  • દેશ-વિદેશના 160થી વધુ ડેલીગેટ્સની પણ વિશેષ ઉપસ્થિતી

જુનાગઢના સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં સિંહ સરંક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રિય પર્યાવરણ અને વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયઇન્ટરનેશનલ બીગ કેટ એલાયન્સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુકત ઉપક્રમે સૌપ્રથમવાર જુનાગઢના સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારના દરમ્યાન સિંહ સરંક્ષણ વિષય અંગેના 2 પ્રકાશનોનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સિંહ સરંક્ષણ વિષય અંગે રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં સિંહની વસ્તીપ્રજાતિઓની પુનઃ પ્રાપ્તિસંશોધનપડકારો અને નિતિ વિષયક બાબતો પર આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ચર્ચા કરવામાં આવી હતી. વનમંત્રી મુળુ બેરાએ જણાવ્યુ હતું કેચાલુ વર્ષે ખૂબ મોટાપાયે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

અમરેલીના જાફરાબાદ રેન્જમાં વાયરસના કારણે 3 સિંહબાળના મૃત્યુ થયા છે. જોકેઆ સમૂહના અન્ય 6 સિંહબાળ અને 3 સિંહણ પર વન વિભાગની દેખરેખ છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોયત્યારે આવા સિંહબાળને બચાવવા મુશ્કેલ થતાં હોય છેત્યારે વન વિભાગના વેટરનરી ડોક્ટરની ટીમે આ સમૂહના બાળસિંહના બ્લડ સેમ્પલ લીધા છે. વધુમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ અને રેવન્યુ વિસ્તારમાં વસતા સિંહ પર દેખરેખ રાખવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છેજ્યારે રાજ્યસભાના સાંસદ અને સિંહપ્રેમી પરિમલ નથવાણીએ જણાવ્યુ હતું કેસાસણ ગીરમાં ભારણ વધી રહ્યું છેલોકોને સિંહ દર્શન માટે જગ્યા નથી મળતીત્યારે આવા સમયે બરડાની શરૂઆત થતાં સાસણનું ભારણ ઘટશે. બરડા સિવાય અન્ય લોકેશન પણ બનાવવા જોઈએ. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સથી સિંહ સંરક્ષણ માટે વધુ મજબૂતીથી કામ થશે અને તેના સારાં પરિણામો જોવા મળશે. આ પ્રસંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓસામાજિક સંસ્થાઓવૈજ્ઞાનિકોનિષ્ણાંતો તેમજ દેશ-વિદેશના 160થી વધુ ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.