સુરેન્દ્રનગર : આર્યસમાજ મંદિર-ધ્રાંગધ્રામાં 7 દિવસીય આર્ય વીરાંગના શિબિરનો પ્રારંભ, યોગ-તલવારબાજી-લાઠી દાવની તાલીમ અપાશે...

ધ્રાંગધ્રા સ્થિત આર્યસમાજ મંદિર ખાતે આયોજિત 7 દિવસીય આર્ય વીરાંગના શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં માનસિક અને શારીરિક મજબૂતાઈ કેળવવાનો છે.

New Update
  • ધ્રાંગધ્રા સ્થિત આર્યસમાજ મંદિરમાં કરાયું આયોજન

  • 7 દિવસીય આર્ય વીરાંગના શિબિરનો પ્રારંભ કરાયો

  • યોગ-તલવારબાજી અને લાઠીદાવની તાલીમ અપાશે

  • યુવામાં માનસિક-શારીરિક મજબૂતી કેળવવાનો ઉદ્દેશ

  • શિબિર વેળા વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ અપાશે

આજના યુવાઓમાં માનસિક અને શારીરિક મજબૂતાઈ કેળવવાના ઉદ્દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્યસમાજ મંદિર ખાતે 7 દિવસીય આર્ય વીરાંગના શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્યસમાજ મંદિર ખાતે આયોજિત 7 દિવસીય આર્ય વીરાંગના શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં માનસિક અને શારીરિક મજબૂતાઈ કેળવવાનો છે. સાથે સાથે તેમનામાં ઉચિત સંસ્કારો અને ગુણોનું સિંચન કરવામાં આવશે. યજ્ઞ અને હવન જેવી પ્રાચીન ભારતીય પરંપરાઓથી પણ તેમને પરિચિત કરાવવામાં આવશે.

આર્યસમાજ મંદિર દ્વારા આયોજિત આ શિબિરમાં આર્યવીર અને આર્ય વીરાંગનાઓ બન્ને ભાગ લઈ શકે છે. શિબિર દરમિયાન તમામ પ્રવૃત્તિઓ શિસ્તબદ્ધ રીતે કરાવવામાં આવી રહી છે. આ નિઃશુલ્ક શિબિરમાં યુવા પેઢીને આર્ય સંસ્કૃતિ અને પ્રાચીન વૈદિક સંસ્કૃતિની માહિતી આપવામાં આવશે. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. તેમાં યોગતલવારબાજીલાઠી દાવ અને સૂર્ય નમસ્કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિમનેસ્ટિકકસરતલેજીમ અને રમત-ગમતની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવનાર છે.

Read the Next Article

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું, બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા

New Update
વરસાદ ખબક્યો

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે.

જેમાં પાકિસ્તાનની પાસે  સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

આગામી 6 દિવસ ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. , પાટણ મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદમાં ભારે નહિ પરંતુ મધ્યમ વરસાદનું અનુમાન છે. અરવલ્લી મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. ખેડા,પંચમહાલ, આણંદ,  વડોદરા, ભરૂચ, છોટાઉદેપરુ, નર્મદા આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ટૂંકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.