સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં આગામી તારીખ 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજનની ચર્ચા કરવામાં આવી.
આ વર્ષે યોગ દિવસમાં અધિકારીઓ પણ યોગને પ્રાધાન્ય આપવા સાથે લોકોમાં અવરનેસ વધારે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો યોગ દિવસ નિમિત્તે જિલ્લાભરમાં યોગ સેમીનાર યોજવા અને વિશ્વ યોગ દિવસને યાદગાર બનાવવા ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી.આ ઉપરાંત શાળા કોલેજો અને સરકારી કર્મચારીઓ અધિકારીઓ પણ વિશ્વ યોગ દિવસમાં જોડાઈ તેને ધ્યાને રાખી બેઠકનું આયોજન કરવા સૂચના અપાય હતી.