સુરેન્દ્રનગર : લીંબડી ખાતે રામભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય, વિરાટ ધનુષ-ગદાની ઝાંખીએ જમાવ્યું આકર્ષણ

ગુજરાત સહીત દેશવાસીઓમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી હ્યો છે

New Update
સુરેન્દ્રનગર : લીંબડી ખાતે રામભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય, વિરાટ ધનુષ-ગદાની ઝાંખીએ જમાવ્યું આકર્ષણ

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાને લઈ દેશવાસીઓમાં ઉત્સાહ

ભગવાન શ્રીરામના પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આયોજન

લીંબડી ખાતે રામભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય

વિરાટ ધનુષ અને ગદાની ઝાંખીએ જમાવ્યું આકર્ષણ

સાધુ-સંતો સહિત સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

આગામી તા. 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે રામભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત સહીત દેશવાસીઓમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સ્થિત નીલકંઠ ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ તેમજ સૌ રામભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શોભાયાત્રાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કારણ કે, આ શોભાયાત્રામાં જે આકર્ષણ અને ઝાંખીઓ રાખવામાં આવી હતી, તે કઈક અલગ જ ઝાંખીઓ છે. જેમાં ભરત મિલાપ, રામદરબારના દર્શન, યજ્ઞરક્ષા નિદર્શન, વિરાટ ધનુષ અને ગદાના દર્શન, તલવાર બાજી, લાકડીદાવ, ધુન, ભજન સહિતના અનેક આકર્ષણો જોવા મળ્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લાભરમાંથી સાધુ-સંતો તેમજ હિંદુ સંગઠનો સહિત રાજકીય અને સામાજીક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories
Read the Next Article

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

New Update
વરસાદ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારી, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.

Latest Stories