સુરેન્દ્રનગર: ચોટીલામાંથી ચોરીના સળીયાનો મોટો જથ્થો ઝડપાયો,રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત | Featured | સમાચાર, સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે પોલીસે  ચોરીના લોખંડના સળીયા સહિત રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસની કાર્યવાહી
પોલીસને નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન મળી સફળતા
બિન વારસી હાલતમાં ટ્રક મળી આવી
ટ્રકમાંથી લોખંડના સળીયાનો મોટો જથ્થો મળી આવ્યો
રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે પોલીસે  ચોરીના લોખંડના સળીયા સહિત રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ  પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મઘરીખડાના બોર્ડથી આગળ અમરદીપ હોટેલની સામેના ભાગે એક ટ્રેલર રજી નં GJ-12-BW-9857 બિનવારસી હાલતમાં મળી આવ્યુ હતું.પોલીસે તપાસ કરતા કોઇ ડ્રાઇવર કે કલીનર હાજર ન હોય અને  ટ્રક/ટ્રેલર અવાવરૂ જગ્યાએ બીન વારસી હાલતમાં મળી આવેલ હોય કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે લોખંડના સળીયા અને ટ્રક મળી કુલ રૂપિયા 20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Read the Next Article

અમરેલી : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ-પ્રકૃતિ પ્રેમી-વિદ્યાર્થીઓએ “સિંહ બચાવો”ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી...

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

  • વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આયોજન કરાયું

  • ગીરની શાન ગણાતા સિંહો માટે જનજાગૃતિ રેલી યોજાય

  • સિંહના મુખોટા પહેરી અનેક વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા

  • સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવો પ્રયાસ :RFO

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગપ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ... ગીરની શાન ગણાતા સિંહો માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માન અને મોભા સાથે દેશભરમાં ઉજવાય છેત્યારે સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારીખાંભાસાવરકુંડલારાજુલા સહિતના પંથકમાં શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે રેલી યોજી હતી. જેમાં વન વિભાગ સહિત પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા હતા. ગીરના ગ્રામીણ ગામડાઓ સાથે બૃહદ ગીરના ગામોમાં સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવા સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રસંગે સાવરકુંડલા વનવિભાગના અધિકારીઓશિક્ષણ વિભાગપોલીસ અને રાજકીય મહાનુભાવોએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આયોજિત જનજાગૃતિ રેલી સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.