Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : થાનગઢના અમરાપરા નજીક ભંગારનો ડેલામાં એકાએક આગ ભભૂકી, આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા

સુરેન્દ્રનગરના થાનગઢના અમરાપરા નજીક ભંગાર ડેલામા ગત મોડી સાંજે કોઈ કારણ સર આગ ભભૂકી ઉઠી હતી. હાલ પણ ત્રણ જેટલા ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા

X

ભંગારના ડેલામાં આગને કારણે નુકશાન

આસપાસના મકાનો પણ આગની લપેટમાં

સમગ્ર ડેલામાં સામાન ભસ્મીભૂત થઈ ગયો

સુરેન્દ્રનગરના થાનગઢના અમરાપરા નજીક ભંગાર ડેલામા ગત મોડી સાંજે કોઈ કારણ સર આગ ભભૂકી ઉઠી હતી. હાલ પણ ત્રણ જેટલા ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરના થાનગઢમાં અમરાપરા નજીક ભંગાર ડેલામા ગત મોડી સાંજે કોઈ કારણ સર આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ડેલામાં સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી.રાતે આગ લાગતાં ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ભંગારનો સર સામાન બળીને ભસ્મ થઈ ગયો છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરફાઈટરની ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ચોટીલાથી બોલાવવામાં આવ્યા હતા. થાનગઢ તાલુકાના અમરાપર ગામે ભંગારના ડેલામાં આગ લાગતા આસપાસના મકાનો પણ આગની લપેટમાં આવ્યા હતા. થાનગઢ,સુરેન્દ્રનગર, ચોટીલા અને ધ્રાંગધ્રાના ફાયર ફાઈટરની મદદ લેવા આવી હતી .

Next Story